રાહુલ ગાંધીએ ટ્વીટર પર ટ્વવીટ કરીને મોદી સરકાર પાસે બે મોટી માંગ કરી છે. જેમા કોરોના મૃતકોનો સાચો આકડો જણાવાની તેમજ તેમના પરિવારને 4 લાખનું વળતર આપવાની માગ તેમણે કરી છે. સાથેજ તેમણે કેન્દ્ર સરકાર સામે આકરા પ્રહારો પણ કર્યા છે.
રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કર્યા આકરા પ્રહાર
ટ્વીટર પર ટ્વીટ કરીને કહ્યું કોરોના મૃતકોનો સાચો આકડો જણાવો
મૃતકોના પરિવારને 4 લાખની સહાય આપવા કરી માગ
કોરોનામાં જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તેમના પરિવારને વળતર આપવાનો મુદ્દો ફરી ગરમાયો છે. આ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા આજે સવારે ટ્વીટ કરવામાં આવ્યું. જેમા તેમણે કેન્દ્ર સરકાર સમક્ષ બે માગ કરી છે.
कांग्रेस पार्टी की दो माँग हैं-
1. कोविड मृतकों के सही आँकड़े बताए जायें।
2. अपने प्रियजनों को कोविड में खो चुके परिवारों को चार लाख हरजाना दिया जाए।
ટ્વીટર પર ટ્વીટ કરતા રાહુલ ગાંધીએ પહેલી માગ તો એક કરી છે કે સરકારે કોરોના મૃતકોના યોગ્ય આંકડા કહેવા જરૂરી છે. સાથેજ રાહુલ ગાંધીએ એવી માગ પણ કરી છે કે જે લોકોએ કોરોના મહામારીમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. તે લોકોના પરિવારને સરકાર દ્વારા 4 લાખની સહાય આપવામાં આવે.
ટ્વીટર પર વીડિયો અપલોડ કર્યો
રાહુલ ગાંધીએ ટ્વીટમાં એક વીડિયો પણ અપલોડ કર્યો છે. જેમા તેમણે ગુજરાતમાં રહેવા વાળા એ લોકોનું દુખ વ્યક્ત કર્યુ છે કે જેમણે કોરોનામાં પોતાના સ્વજનોને ગુમાવ્યા હતા. વીડિયોમાં રાહુલ ગાંધીએ કહ્યું કે ગુજરાત મોડલની વાત તો થતી રહેતી હોય છે. અમે જે પણ પરિવારો સાથે વાત કરી તે પરિવારોને કોરોના સમયે ન ઓક્સિજન મળ્યો ન તો બેડ મળ્યો કે ન તો તેમને વેન્ટિલેટર મળ્યું હતું.
ગુજરાતમાં કોરોનાને કારણે 3 લાખ લોકોના મોત થયા : રાહુલ ગાંધી
વીડિયોમાં રાહુલ ગાંધીએ એવું કહ્યું છે કે જ્યારે લોકોને સરકારની મદદ જોઈતી હતી ત્યારે પણ સરકાર મદદ માટે આગળ ન આવી સાથેજ કહ્યું કે જ્યારે લોકોને વળતરની જરૂર હતી ત્યારે પણ સરકાર આગળ ન આવી. વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે રાજ્ય સરકાર લોકોને ખોટો આકડો બતાવી રહી છે 10 હજાર નહી પરંતું 3 લાખ કરતા પણ વધુ લોકોના કોરોનાને કારણે મોત થયા છે. તે વાતનો રાહુલ ગાંધીએ ઉલ્લેખ કર્યો.
વડાપ્રધાન મોદી પર કર્યા આકરા પ્રહાર
વડાપ્રધાન પર પ્રહાર કરતા રાહુલ ગાંધી કહ્યું કે તેમની પાસે પોતાનું પ્લેન ખરીદવા માટે 8500 કરોડ રૂપિયા છે. પરંતુ કોરોનામાં જે લોકોના મોત થયા છે તેમના પરિવારો માટે તેમની પાસે રૂપિયા નથી. વધુમાં રાહુલ ગાંધીએ એવું પણ કહ્યું હતું કે મહામારીમાં ઉદ્યોગપતિઓના કર માફ કરીને તેમની સહાય કરવામાં આવી પરંતુ મૃતકોના પરિવારને કોઈ સહાય આપવામાં નથી આવી. જોકે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા ગત સપ્ટેમ્બર મહિનામાં કોરોનાથી મોત પામેલ વ્યક્તિઓના પરિવારને 50 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.