માનહાનિ કેસમાં રાહુલ ગાંધી દોષિત જાહેર થયા છે. સુરતની કોર્ટે તેમને 2 વર્ષની સજા ફટકારી છે. મહત્વનું છે કે, રાહુલ ગાંધીએ મોદી અટકને લઈને વિવેદાસ્પદ નિવેદન આપ્યું હતું.
માનહાનિ કેસમાં રાહુલ ગાંધી દોષિત
મોદી અટક પર આપ્યું હતું વિવાદસ્પદ નિવેદન
સુરત કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ 'મોદી અટક' અંગે કરેલી ટિપ્પણી કેસમાં સુરતની કોર્ટે દાષિત જાહેર કર્યા છે. માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કરાયા છે. સુરતની કોર્ટે તેમને 2 વર્ષની સજા ફટકારી છે. જોકે, રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં જામીન પણ મળી ગયા છે. મહત્વનું છે કે, વર્ષ 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ કર્ણાટકમાં તેમના ભાષણમાં કહ્યું હતું કે, 'બધા ચોરની અટક મોદી કેમ હોય છે?'
ગત શુક્રવારે યોજાઈ હતી સુનાવણી
ગુજરાત મોઢ વણિક સમાજના નેતા, ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ સુરતમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે ફોજદારી માનહાનિનો કેસ નોંધાવ્યો હતો. તેમનો આરોપ હતો કે રાહુલ ગાંધીએ પોતાની ટિપ્પણીથી સમગ્ર મોદી સમુદાયની ગરિમાને ઠેસ પહોંચાડી છે. તેમની ફરિયાદ પર સુરત શહેરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચ.એચ વર્માનીની કોર્ટમાં લાંબી સુનાવણી ચાલી. ગત શુક્રવારે આ મામલે છેલ્લી સુનાવણી બાદ કોર્ટે નિર્ણય માટે 23 માર્ચની તારીખ નક્કી કરી હતી.
રાહુલ ગાંધી સામેનો કેસ શું હતો?
વર્ષ 2019ની લોકસભા ચૂંટણી સમયની ઘટના
રાહુલ ગાંધી કર્ણાટકમાં ચૂંટણીપ્રચાર કરી રહ્યા હતા
ચૂંટણીસભામાં રાહુલ ગાંધીએ મોદી અટકને લઈને વાંધાજનક ટિપ્પણી કરી હતી
રાહુલ ગાંધીએ નિરવ મોદી અને લલિત મોદીના નામનો ઉલ્લેખ કરીને કરી હતી ટિપ્પણી
આ ભાષણ બાદ સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો
મોદી સમાજની લાગણી દુભાઈ હોવાનું કહીને રાહુલ ગાંધી વિરુદ્ધ સુરતમાં કેસ દાખલ કર્યો હતો
પૂર્ણેશ મોદીએ નોંધાવ્યો હતો કેસ
વર્ષ 2019માં ચૂંટણી પ્રચાર દરમિયાન તેમના પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેઓએ મોદી સમાજનું અપમાન કર્યું, પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી સભામાં સંબોધન દરમિયાન દરેક ચોરની અટક 'મોદી' કેમ હોય છે એવા કરેલા નિવેદન બાદ તેમના પર માનહાનિનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો અને સુરત પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવવામાં આવ્યો હતો.