ભારતીય ઈતિહાસ અનુસંધાન પરિષદ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ સમારોહમાં પંડિત નહેરુની તસવીરને હટાવવા મુદ્દે કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે.
ICHRની સાઈટ પર નહેરુની તસ્વીર હટવાથી રાજકારણ ગરમાયું
રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહાર
સોશિયલ મીડિયા પર કેન્દ્ર સરકારને કરી ટાર્ગેટ
સ્વતંત્રતા દિવસથી દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવની ચર્ચા ચાલી રહી છે. આ વચ્ચે વિવધ આયોજનથી જોડાયેલા પોસ્ટરોમાં દેશના પહેલા પ્રધાનમંત્રી જવાહર લાલ નહેરુની તસ્વીરોમાં પહેલા પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુની તસવીર ન હોવાથી ભારે હોબાળો મચી જવા પામ્યો છે. કોગ્રેંસ પાર્ટીના નેતાઓએ ભારતીય ઈતિહાસ અનુસંધાન પરિષદ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ સમારોહમાં પંડિત નહેરુની તસવીરને હટાવવા મુદ્દે વાંધો ઉઠાવ્યો છે.
રાહુલ ગાંધીએ કેન્દ્વ સરકાર પર નિશાનો સાધ્યો
ઉલ્લેખનીય છે કે, કેટલાક નેતાઓએ ICHRની વેબસાઈટ પર આઝાદી કા અમૃત મહોત્સવને જોડતી કેટલીક પોસ્ટરોનો સ્ક્રીનશોટ સોશિયલ મિડીયા પર શેર કરવામાં આવી હતી. જેમાં મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, નેતાજી સુભાષચંદ્વ બોઝ, રાજેન્દ્વ પ્રસાદ, ભગત સિંહ, મદનમોહન માલવીય અને વીર સાવરકરની તસવીરો તો છે. પરંતુ આ પોસ્ટરમાં દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નહેરુની તસવીર ગાયબ છે. જેને લઈને કોગ્રેંસ પાર્ટીના મહાસચિવ રાહુલ ગાંધીએ આ મામલે કેન્દ્વમાં બીજેપીની સરકાર પર નિશાનો સાધતા કહ્યું હતું કે, દેશના પ્યારા પંડિત જવાહર લાલ નહેરુને તમે લોકોના દિલમાંથી કેવી રીતે નિકાળી શકશો ? તેમણે પોતાના ફેસબુક એકાઉન્ટમાં પંડિત નહેરુની જીવન થી જોડાયેલી કેટલા ફોટોગ્રાફ્સ શેર કરી આ પ્રકારની પોસ્ટ કરી હતી.
If he was celebrating Indian science, will he omit C V Raman?
After bowing down to prejudice and hate, it is best the Member-Secretary shuts his mouth. pic.twitter.com/7yNXrxeNU4
It is not merely petty but absolutely ahistorical to celebrate Azadi by omitting the pre-eminent voice of Indian freedom, Jawaharlal Nehru. One more occasion for ICHR to disgrace itself. This is becoming a habit! pic.twitter.com/wZzKCvYEcD
આ મામલે કોગ્રેંસના કેટલાક નેતાઓએ પ્રતિક્રિયા દર્શાવી
ICHRની વેબસાઈટ પર પંડિત જવાહર લાલ નહેરુની તસવીર હટાવવા મુદ્દે લોકસભામાં કોગ્રેંસના ઉપ નેતા ગૌરવ ગોગાઈએ જણાવ્યું હતું કે, કોઈ પણ દેશ સ્વતંત્રતા સંઘર્ષનો ઉલ્લેખ કરવા વાળી વેબસાઈટમાં આપણા પહેલા પ્રધાનમંત્રીની તસ્વીર નહીં હાટાવે પરંતુ અહિંયા તેવું કરવામાં આવ્યું છે. જે બહુ જ તુચ્છ અને અન્યાય પૂર્ણ છે. આ જ રીતે કોંગ્રેસના સાંસદ શશિ થરૂરએ પણ કહ્યું કે, ICHRએ પંડિત નહેરુની તસવીર હટાવી પોતાના કંલકીત કર્યું છે. આ સાથે દેશના પૂર્વ નાણાં મંત્રી પી.ચિદંબરમે ટીવટ કરતાં જણાવ્યું હતું કે,ICHR સભ્ય-સચિવો ખુલાસો આપે કે, આઝાદીના 75 વર્ષ ઉજવણીના પ્રથમ ડિજિટલ પોસ્ટરમાંથી જવાહરલાલ નેહરુની બાદબાકી એ હાસ્યાસ્પદ છે