શિવસાગર જિલ્લાની ચૂંટણી સભાને સંબોધિત કરતા રાહુલે ગાંધીએ જણાવ્યું કે ગેરકાયદેસર ઈમીગ્રેશન એક મુદ્દો છે પરંતુ આસામના લોકોમાં એ ક્ષમતા છે કે આ મુદ્દાનો ઉકેલ લાવી શકે. પરંતુ તમ હિંદુસ્તાનના ગુલદસ્તાના ફૂલ છો.
આસામને નુકશાન થશે તો તે સરવાળે દેશને પણ નુકશાન થશે. રાહુલે કહ્યું કે ભલે ગમે તે થાય પણ સીએએ ક્યારેય પણ નહીં થાય, અમે બે અમારા બે વાળી સરકાર સાંભળી લે સીએએનો કદી પણ અમલ નહીં થાય.
જનતા અને કોંગ્રેસ ભાજપને પાઠ ભણાવશે.
રાહુલે કહ્યું કે અમે બે, અમારા બે બાકીના મરો. અમે બે, અમારા બે અને અમરા બે... જે આસામને ચલાવી રહ્યાં છે. આસામમાં જાઓ આગ લગાડો, અને આસામમાં જે કંઈ પણ છે તેને લૂંટી લો જે અહીં નફરત પેદા કરશે તેમને જનતા અને કોંગ્રેસ પાઠ ભણાવશે.
કોંગ્રેસ નબળા લોકો, નાના વેપારીઓ અને મજૂરોની પાર્ટી
રાહુલે કહ્યું કે કોંગ્રેસ નબળા લોકો, નાના વેપારીઓ અને મજૂરોની પાર્ટી છે. જ્યારે અમે સત્તા પર આવીશું ત્યારે એક વસ્તુ બનશે. જે નફરત ફેલાવાઈ રહી છે તેને ખતમ કરાશે. અમે બધા ધર્મ અને જાતિના લોકોની રક્ષા કરીશું. 2004 થી 2014 સુધી હિંદુસ્તાનમાં તેજ આઆર્થિક વિકાસ થયો. અને કરોડો લોકોની ગરીબી દૂર કરી.
આસામ સરકાર રિમોટથી ન ચાલી શકે
રાહુલે કહ્યું કે રિમોટથી ટેલિવિઝન ચાલી શકે પ રંતુ આસામ સરકાર ન ચાલી શકે. તમારો ચીફ મિનિસ્ટર આસામનો હોવો જોઈએ. તમારા ચીફ મિનિસ્ટર આસામ માટે કામ કરતા હોવા જોઈએ. આજના ચીફ મિનિસ્ટર દિલ્હી, ગુજરાતના ઈશારે ચાલે છે તેથી સરકારને હટાવવાની છે.