સુરત કોર્ટનો નિર્ણય આવ્યાં બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા રદ થઈ ગઈ છે. હવે તેમની વાપસીનો શું રસ્તો હોઈ શકે છે? જાણો.
સુરત કોર્ટનાં નિર્ણય બાદ રાહુલ ગાંધીને ઝટકો
સચિવાયલે કરી મોટી ઘોષણા
રાહુલ ગાંધીની સંસદ સદસ્યતા રદ
વાયનાડથી કોંગ્રેસનાં સાંસદ રહી ચૂકેલા રાહુલ ગાંધીની સંસદ સદસ્યતા રદ કરવામાં આવી છે. શુક્રવારે લોકસભા સચિવાલયે નોટિફિકેશન જારી કરતાં આ વાતની જાણકારી આપી હતી. સચિવાલયે ઘોષણા કરી કે વર્ષ 2019માં માનહાનિનાં મામલામાં ગુજરાતની સૂરત કોર્ટે દોષી જાહેર કર્યાં બાદ અને સજા સંભળાવ્યાં બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હવે સંસદનાં સદસ્ય નથી.
રાહુલ ગાંધી શું પગલું ભરશે?
નોટિફિકેશન જાહેર થયાં બાદ હવે સવાલ ઊઠે છે કે રાહુલ ગાંધી શું પગલું ભરશે. રાહુલ ગાંધી હવે આ મામલામાંથી કઈ રીતે બહાર આવશે? કેટલાક કાયદાનાં વિશેષજ્ઞોનું કહેવું છે કે જો દોષી જાહેર કર્યાં બાદ કોંગ્રેસ સાંસદ ઓટોમેટિકલી અયોગ્ય થઈ ગયાં છે. તો કેટલાક વિશેષજ્ઞોએ કહ્યું કે જો તે સજા પલટાવવામાં સફળ થઈ જાય છે તો કાર્યવાહી રોકી શકાશેય
શું કહે છે કપિલ સિબ્બલ?
મીડિયા અનુસાર સમગ્ર મામલા વિષે વરિષ્ઠ વકીલ અને રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે કહ્યું કે, 'જો આ (કોર્ટ) માત્ર સજાને સસ્પેન્ડ કરે છે તો એ પૂરતું નથી. સસ્પેન્શન કે દોષિત જાહેર કરવા પર સ્ટે હોવો જોઈએ.તે સંસદનાં સદસ્યનાં રૂપમાં ત્યારે જ રહી શકે છએ જ્યારે કન્વિક્શન પર સ્ટે લાગે.' જો હાઈકોર્ટ આ નિર્ણય રદ કરતી નથી તો રાહુલ ગાંધીને આવતાં 8 વર્ષો સુધી ચૂંટણી લડવાની પરવાનગી મળશે નહીં.
અન્ય વિશેષજ્ઞોની સલાહ
રાહુલ ગાંધી હવે આ નિર્ણયને ચેલેન્જ કોર્ટમાં આપી શકશે. તો કોંગ્રેસ નેતાઓએ આ નિર્ણયની કાયદેસરતા પર પ્રશ્ન ઊઠાવતાં કહ્યું કે કેવળ રાષ્ટ્રપતિ જ ચૂંટણી આયોગનાં આદેશથી સાંસદોને અયોગ્ય જાહેર કરી શકે છે. આ મામલા પર રાહુલ ગાંધીની ટીમ અનુસાર હાઈકોર્ટમાં આ નિર્ણયને પડકારવાની તૈયારીઓ ચાલી રહી છે. જો સજાનું સસ્પેન્શન અને આદેશ પર રોકની અપીલનો સ્વીકાર કરવામાં નહીં આવે તો તેઓ સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવશે.
નિર્ણય પર સ્ટે લાગે તો...
કેટલાક વિશેષજ્ઞો કહે છે કે જનપ્રતિનિધિત્વ કાયદાની અંતર્ગત સાંસદ કે વિધાયક સજાનાં સસ્પેન્ડ થવા અને દોષીત કરાર કરનારા નિર્ણય પર સ્ટે લગાવ્યાં બાદ જ અયોગ્યતાથી બચી શકાય છે. તો અન્ય એક વિશેષજ્ઞએ કહ્યું કે 2 વર્ષ કે તેથી વધારેની સજા પર કોઈપણ જનપ્રતિનિધિ આપમેળે અયોગ્ય થઈ જશે. પરંતુ જો અપીલ કર્યાં બાદ સજા સસ્પેન્ડ થાય છે તો અયોગ્યતા પણ આપમેળે સસ્પેન્ડ થઈ જશે.