લોકસભા ચૂંટણી 2019ની ચૂંટણી માહોલ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ન્યૂઝ ચેનલ એનડીટીવીને ઇન્ટરવ્યૂ આપ્યો છે. જેમા ઇન્ટરવ્યૂમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સંવેદનશીલ મામલાઓ પર વાતચિત કરી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું, જે વિચારધારા દેશમાં નફરત ફેલાવી રહી છે અને સંવિધાન પર આક્રમણ કરી રહી છે અમારી તેમની સાથ લડાઇ છે.
લોકસભા ચૂંટણી 2019ની ચૂંટણી માહોલ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ન્યૂઝ ચેનલ એનડીટીવીને ઇન્ટરવ્યૂ આપ્યો છે. જેમા ઇન્ટરવ્યૂમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સંવેદનશીલ મામલાઓ પર વાતચિત કરી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું, જે વિચારધારા દેશમાં નફરત ફેલાવી રહી છે અને સંવિધાન પર આક્રમણ કરી રહી છે અમારી તેમની સાથ લડાઇ છે. જે આરએસએસની વિચારધારા છે કે આ દેશને એક સંગઠને ચલાવવો જોઇએ. તેની સાથે લડાઇ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે માત્ર કોંગ્રેસને નહી, દેશની જનતાને લાગે છે કે આપણી લડાઇ આરએસએસ-બીજેપી સાથે છે. હું જ્યા જાઉં છું આ વાત સામે આવે છે. યુવા, ખેડૂત, મજૂર તમામ લોકો પરેશાન છે.
પીએમ મોદીનો મારા પ્રત્યે વ્યક્તિગત દ્વેષ
રાહુલ ગાંધી (Rahul Gandhi) એ કહ્યું કે દેશમાં જે પણ થયું છે, તે પ્રેમની ભાવનાને કારણે થયું છે. રાહુલે કહ્યું કે પીએમ મોદીને હું ઘણા વ્યક્તિગત કાર્યક્રમોમાં પણ મળું છું, પરંતુ તે વ્યવસ્થિત રીતે પ્રતિભાવ નથી આપતા. તેમનો મારા પ્રત્યે વ્યક્તિગત દ્વેષ છે. પાંચ વર્ષ પહેલા લોકો કહેતા હતા કે, નરેન્દ્ર મોદી સામે લડે કોણ, તેમની સામે કોંગ્રેસ લડી, આ કોઇ સરળ કામ નહોતુ, અમે તમામ જગ્યાએ લડ્યા, સંસદથી રસ્તાઓ પર.
23 મે જનતા નક્કી કરશે મારા ભૂમિકા
રાહુલ ગાંધી (Rahul Gandhi) એ કહ્યું કે અમારી સરકાર હતી તો હું ડૉ. મનમોહન સિંહને વાયદો કર્યો હતો કે હું સરકારમાં દખલ નહીં કરું. કોંગ્રેસ અધ્યક્ષને પણ આમ જ કહ્યું હતું. મેં પહેલા જ આશ્વસ્ત કરી દીધું હતું કે કોંગ્રેસને મજબુત કરીશ, પરંતુ સરકારમાં હું કામ નહીં કરું. રાહુલે કહ્યું કે હવે 23 મે જનતા નક્કી કરશે મારી શું ભૂમિકા હોય. હાલ કોઇ નિર્ણય નથી લીધો.
મારી પાસે એમફિલની ડિગ્રી છે, ઇચ્છો ત્યારે જોઇ શકો
રાહુલ ગાંધી(Rahul Gandhi) કહ્યું કે મેં મોદીને કહ્યું કે તમે ત્રણ કલાક ઉંઘ લો છો તો આવો મારી સાથે સંવાદ કરો, પરંતુ તે સામે નથી આવી શકતા. રાહુલ ગાંધીએ પોતાની ડિગ્રી પર ઉઠેલા સવાલ પર કહ્યું કે મારી પાસે એમફિલની ડિગ્રી છે. જ્યારે ઇચ્છો ત્યારે બતાવી શકું છું. અમે રણનીતિમાં વિશ્વાસ રાખીએ છીએ. મનમોહન સિંહે 90ના દાયકામાં જે કામ કર્યું અને બાદમાં કર્યું તેના કારણે દેશ આજે અહીં પહોંચ્યો છે. ભાષણથી કામ નથી ચાલતું.
ચૂંટણી પંચની ભૂમિકા નિષ્પક્ષ નહીં
EVM મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યું કે આ જોવાનું કામ ચૂંટણી પંચનું છે. જોકે મને ચૂંટણી પંચની ભૂમિકા નિષ્પક્ષ નથી લાગતી. પીએમ કંઇપણ બોલે છે, તેના પર કોઇ કાર્યવાહી કરતા નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે આ વખતે જાણી જોઇ ચૂંટણી તારીખ એવી રીતે નક્કી કરવામાં આવી કે ભાજપને ફાયદો મળે.
સેમ પિત્રોડાનું નિવેદન ખોટુ
રાહુલ ગાંધીએ કહ્યું કે સેમ પિત્રોડાએ બિલકુલ ખોટું કહ્યું છે. મેં એમને કહ્યું કે આમ બિલકુલ ના કરવું જોઇએ. 1984ના શીખ હુલ્લડોમાં જે લોકો સામેલ છે. તેમના પર કાર્યવાહી થવી જોઇએ. રાહુલ ગાંધીએ કહ્યું કે 1984ના હુલ્લડોને લઇને કોઇ ડિબેટ નથી. એ એક ભયંકર ટ્રેજડી છે. 1984 હુલ્લડોમાં જે આરોપી છે, તેના પર કાર્યવાહી કરવામાં આવે.
વ્યક્તિગત હુમલાથી નથી પડતો ફર્ક
રાહુલ ગાંધીને જ્યારે તેમના પરિવાર પર વ્યક્તિગત હુમલા વિશે પૂછવામાં આવ્યું તો કહ્યું કે હું મારા પિતા, દાદા અને દાદીની સચ્ચાઇ જાણું છું. તેથી કોઇના કહેવાથી મને કોઇ ફરક પડતો નથી. અમિત શાહના નામદાર સંબોધન પર પૂછતા કહ્યું 23 મે તમામ નક્કી થઇ જશે. રાહુલ ગાંધીએ કહ્યું કે બીજેપી પોતાના વાયદા વિશે ન વાત કરે છે ન ભવિષ્ય વિશે. નરેદ્ર મોદીનો સમય સમાપ્ત થઇ ગયો છે. હું ઇચ્છું છું કે જ્યારે ખેડૂતોના ઘરે જાઉં તો તેમની અવાજ બનું. 2થી 3 ટકા તમામ ફાયદો ઉઠાવી રહ્યા છે, જે ચિંતાનો વિષય છે.
એક વર્ષમાં 22 લાખ નોકરીઓ
રાહુલ ગાંધીએ કહ્યું કે અમારી કોશિશ છે કે એક વર્ષમાં 22 લાખ સરકારી નોકરીઓ આપીએ. અમારી પૂર્ણ કોશિશ રહેશે. હેલ્થકેયરમાં બજેટ વધારીશું. પબ્લિક હેલ્થ સિસ્ટમ અને એજ્યૂકેશન સિસ્ટમના કામ થઇ શકે નહીં. હેલ્થ કેયર અને એજ્યૂકેશનમાં સરકારની ભૂમિકા વધારવી પડશે.
મીડિયા વિપક્ષ પ્રતિ ફેર નહીં
રાહુલ ગાંધીએ કહ્યું કે ગત 5 વર્ષમાં વિપક્ષને મીડિયામાં ફેર સ્પેસ નથી મળી. મીડિયાને લઇને એક સ્ટ્રક્ચર બનાવવાની જરૂર છે. રાફેલમાં જો કાનૂન ભંગ થયો છે. તો તેની તપાસ થશે. રાફેલ મુદ્દો મીડિયા ઉઠાવતી નથી. પ્રેસ કોન્ફરન્સ કરી અમે ઉઠાવ્યો. ફ્રાન્સના રાષ્ટ્રપતિએ કહ્યું છતા સરકારનું દબાણ હતું. દબાણ હોવા છતા કોંગ્રેસ ઉભી રહી. રાહુલ ગાંધીએ કહ્યું કે હું તમામ પાસેથી શીખું છું. નરેન્દ્ર મોદી અને આરએસએસ પાસેથી પણ. રાહુલ ગાંધીએ કહ્યું કે અમે એવી રીતે કાર્ય નથી કરતા જેવી રીતે પીએમ મોદી કરે છે. જો ક્યાંય કાનૂન તોડવામાં આવ્યો છે તો કાયદો તેનું કામ કરશે. ચાર સુપ્રીમ કોર્ટના જજે કહ્યું કે અમને અમારું કામ કરવા દેવાતું નથી. અમે એ શક્તિ સાથે લડી રહ્યા છીએ જે કામ નથી કરવા દેતી.
પીએમ મોદીની કોમ્યૂનિકેશન સ્કિલનો ફેન
માયવતીના હુમલા પર રાહુલ ગાંધીએ કહ્યું કે હું તમામ પાસેથી કંઇકને કંઇક શીખું છું. પીએમ મોદીની કોમ્યૂનિકેશન સ્કિલનો કોઇ જવાબ નહીં.