શુક્રવારે રાહુલ ભારતના યુએસ રાજદૂત નિકોલસ બર્ન્સ સાથે ઓનલાઇન વાતચીતમાં ભાગ લઈ રહ્યા હતા.
રાહુલ ગાંધીનું નિવેદન
યુએસ ભારતની બાબતો પર મૌન : રાહુલ ગાંધી
યુએસ રાજદૂત સાથે કરી ઓનલાઈન વાતચીત
'ચીન અને રશિયા દ્વારા રજૂ કરવામાં આવતા કઠોર મંતવ્યો સામે લોકશાહીના વિચાર' પર ચર્ચાના વિષય દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, "ભારતમાં જે કંઈ પણ થઈ રહ્યું છે, તેના પર યુએસના વહીવટીતંત્ર તરફથી કશું જ સંભળાતું નથી."
અમેરિકાએ ભારતને લઈને મૌન ધારણ કર્યું છે : રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે એક ઓનલાઇન ચર્ચા દરમિયાન, વિશ્વવ્યાપી લોકશાહીના વિચાર અંગે પોતાના મંતવ્યો શેર કરતાં કહ્યું હતું કે 'ભારતમાં જે થઈ રહ્યું છે તેના પર અમેરિકાએ મૌન ધારણ કર્યું છે. રાહુલે કહ્યું કે 'મને ખાતરી છે કે અમેરિકા એક સાર્થક વિચાર છે. આ એ આઝાદી છે, તમારા બંધારણમાં જે રીતે સ્વતંત્રતા આપવામાં આવી છે, પરંતુ તમારે તે વિચારનું રક્ષણ કરવું પડશે.
શુક્રવારે રાહુલ ગાંધી ભારતના યુએસ રાજદૂત નિકોલસ બર્ન્સ સાથે ઓનલાઇન વાતચીતમાં ભાગ લઈ રહ્યો હતો. બર્ન્સ હાલમાં હાર્વર્ડ કેનેડી સ્કૂલના પ્રોફેસર છે. બર્ન્સ 'ચીન અને રશિયા દ્વારા રજૂ કરવામાં આવતા કઠોર વિચારો સામે લોકશાહીનો વિચાર' પર બોલી રહ્યા હતા. બર્ન્સને અટકાવતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ભારતમાં જે કંઈ થઈ રહ્યું છે તે અમેરિકન સરકાર તરફથી કંઈ સાંભળવામાં આવતું નથી.
હું માંનું છું કે અમેરિકા એક સાર્થક વિચાર છે : રાહુલ ગાંધી
તેમણે વધુમાં કહ્યું, 'જો તમે 'લોકશાહીની ભાગીદારી' વિશે વાત કરી રહ્યા છો તો દેશમાં જે થઈ રહ્યું છે તેના વિષે તમારા અભિપ્રાય શું છે?, હું આમાં માનું છું કે અમેરિકા એક સાર્થક વિચાર છે. આ સ્વતંત્રતા છે, જે રીતે તમારા બંધારણમાં સ્વતંત્રતા આપવામાં આવી છે, પરંતુ તમારે તે વિચારનું રક્ષણ કરવું પડશે. આ અસલી સવાલ છે.
ચર્ચા દરમિયાન રાહુલે એમ પણ આક્ષેપ કર્યો હતો કે ભારતના હાલના શાસક પક્ષ દ્વારા વર્ષ ૨૦૧૪ થી ભારતની સંસ્થાકીય રચના પર 'સંપૂર્ણ કબજો' કરી લેવામાં આવ્યો છે, જેના કારણે વિરોધ પક્ષો માટે પેરાડાઈમ બદલાઈ ગયા છે, કેમ કે હવે આ સંસ્થાઓ, જેનો હેતુ સમાન રાજકીય લડતને પ્રોત્સાહન આપવાનો છે, હવે ટે તેવુ નથી કરતી.
ભાજપના વલણથી ઘણા લોકો અસંતુષ્ટ થઈ રહ્યા છે : કોંગ્રેસ નેતા
રાહુલે કહ્યું કે ચૂંટણી લડવા મારે એક સંસ્થાકીય માળખું હોવું જોઈએ, એક ન્યાયિક વ્યવસ્થા જે મારો બચાવ કરે, માધ્યમો જે તાર્કિક રીતે સ્વતંત્ર છે, હું આર્થિક સમાનતા ઇચ્છું છું, હું એક સંસ્થાકીય માળખું ઇચ્છું છું જે મને આ બધુ એક રાજકીય પક્ષની જેમ કામ કરવામાં સહાય કરે, પણ મારી પાસે આ વસ્તુ નથી. તેમણે કહ્યું કે ભાજપ જે પ્રકારનું વલણ અપનાવે છે, ઘણા લોકો જલ્દીથી અસંતુષ્ટ થઈ રહ્યા છે, આવા લોકોને તેમની સાથે લાવવાની જરૂર છે.