આજે જયપુરમાં કોંગ્રેસની એક રેલી દરમિયાન રાહુલ ગાંધીએ એક વિસ્ફોટક નિવેદન આપ્યું હતું. તેમણે હિન્દુ અને હિન્દુત્વવાદી વચ્ચેનો ભેદ સમજાવતા કહ્યું હતું કે આ બંને શબ્દોનો અર્થ અલગ છે.
આજે રાજસ્થાનનાં જયપુરમાં કોંગ્રેસની રેલી
રાજસ્થાનના જયપુરમાં આજે કોંગ્રેસની મહા રેલીનું આયોજન થયું હતું. જયપુરની મહા રેલીમાં સામેલ થવા માટે અધ્યક્ષા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી આવ્યા હતા. આ રેલીને રાહુલ ગાંધીએ સંબોધન કર્યું હતું.
આજની રેલી જનતાના દુ:ખ દર્દ માટે છે: રાહુલ
આ રેલી દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આજની રેલી મોંઘવારી-બેરોજગારી મુદ્દે છે. તેમણે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે દેશની તમામ સંસ્થાઓ એક સંગઠનના હાથમાં છે. આ રેલીમાં તેમણે હિન્દુઓ અને હિન્દુત્વવાદીઓનો મતલબ પણ સમજાવ્યો હતો.
હિન્દુ અને હિન્દુત્વ
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે 2 જીવની એક આત્મા ન હોય શકે તેમ 2 શબ્દના એક મતલબ ન હોઇ શકે. હિંદૂ-હિદૂત્વવાદી એ એક ચીજ નથી,2 શબ્દ છે અને બંન્નેનો મતલબ અલગ અલગ છે. ઉલ્લેખનીય છે કે તેઓ અગાઉ પણ આ પ્રકારનું નિવેદન આપી ચૂક્યા છે.
તેમણે કહ્યું હતું કે હું હિંદૂ છું પણ હિંદૂત્વવાદી નથી. ગાંધીજી હિંદૂ હતા તેની છાતીમાં હિંદૂત્વવાદીએ ગોળી મારી હતી. હિંદૂ સત્ય શોધે છે અને હિંદૂત્વવાદીઓ સત્તા જ શોધે છે.
हिंदू और हिंदुत्ववादी शब्द एक नहीं है, ये दो अलग-अलग शब्द है और इनका मतलब भी अलग है। मैं हिंदू हूं मगर हिंदुत्ववादी नहीं हूं। महात्मा गांधी हिंदू और गोडसे हिंदुत्ववादी। चाहे कुछ भी हो जाए हिंदू सत्य को ढूंढता है: महंगाई हटाओ रैली में कांग्रेस नेता राहुल गांधी, जयपुर pic.twitter.com/GdjPPmH2B2
હિંદૂત્વવાદી સત્તા માટે કંઇ પણ કરી શકે છે
આ સાથે તેમણે કહ્યું હતું કે હિંદૂત્વવાદી સત્તા માટે કંઇ પણ કરી શકે છે જ્યારે હિંદૂનો રસ્તો સત્યાગ્રહનો રસ્તો છે અને હિંદૂત્વવાદીનો રસ્તો સત્તાગ્રહનો છે. તેમણે તફાવત સમજાવતા વધુમાં જણાવ્યું હતું કે હિંદૂ ડરનો સામનો કરે છે, હિંદૂત્વવાદી ડર સામે ઝુકી જાય છે.
#WATCH | Hindutvavadis spend their entire life in search of power. They want nothing but power & can do anything for it. They follow the path of 'Sattagrah', not 'Satyagrah'. This country is of Hindus, not of Hindutvavadis: Congress leader Rahul Gandhi at party rally in Jaipur pic.twitter.com/qLpEJiB8Lf
આ હિન્દુઓનો દેશ
તેમણે હિન્દુત્વવાદી સામે નિશાન તાકતાં કહ્યું હતું કે આ દેશ હિંદૂઓનો દેશ છે, હિંદૂત્વાદીઓનો નથી. આજે મોંઘવારી-બેરોજગારી વઘારવા માટે હિંદૂત્વવાદીઓ જવાબદાર છે. હિન્દુઓ તો ધર્મનો આદર કરે છે. તેમણે રેલીમાં હાજર લોકોને હાકલ કરી હતી કે આપણે ફરી એકવાર હિંદૂત્વવાદીઓને બહાર કાઢવાના છે. જે દરેક ધર્મનો આદર કરે તે છે હિંદૂ.