કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચીનનાં વખાણ કર્યાં છે. તેમણે કહ્યું કે ચીન શાંતિનો પક્ષકાર છે. એટલું જ નહીં કાશ્મીરમાં થયેલા પુલવામાં અટેકનો પણ ઉલ્લેખ તેમણે કર્યો.
રાહુલ ગાંધીએ ચીનનાં વખાણ કર્યાં
કહ્યું ચીન શાંતિનો પક્ષકાર છે
પુલવામા હુમલાથી લઈ પેગાસસની કરી ચર્ચા
કેમ્બ્રિજ યૂનિવર્સિટીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચીનનાં વખાણ કર્યાં છે. તેમની તરફથી ભારપૂર્વક કહવામાં આવ્યું છે કે ચીન શાંતિનો પક્ષકાર છે. તેમણે અનેક ઉદાહરણો આપીને પોતાની વાત સમજાવવાનો પ્રયાસ કર્યો. તેમણે ચીનની રણનીતિ, તેમના દ્વારા કરવામાં આવેલા વિકાસ અને પશ્ચિમી દેશોની વિચારધારા પર પણ વાત કરી.
— Yash Mishra / यश मिश्रा (@YashMishraBJP) March 3, 2023
ચીનનાં કર્યાં વખાણ...
રાહુલ ગાંધીએ કહ્યું કે તમે ચીનમાં જે રીતનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર જુઓ છો, રેલ્વે, એરપોર્ટ જુઓ છો, તે બધું જ પ્રકૃતિ સાથે સંકળાયેલું છે. ચીન પ્રકૃતિ સાથે મજબૂત રીતે જોડાયેલું છે. તો જ્યારે અમેરિકાની વાત આવે છે તો તે પોતાને પ્રકૃતિથી વિશેષ માને છે. તેમણે કહ્યું કે ચીન શાંતિમાં કેટલો વધારે રસ ધરાવે છે. તેમણે કહ્યું કે અહીં સરકાર એક કોર્પોરેશનની જેમ કામ કરે છે અને તે જ કારણે દરેક જાણકારી પર સરકારની સંપૂર્ણ પકડ રહેતી હોય છે. તેમના અનુસાર ભારત અને અમેરિકામાં આવી સ્થિતિ નથી. રાહુલ એવું પણ માને છે કે આ જ કારણે ચીન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનાં મામલામાં આટલું આગળ છે.
પુલવામા હુમલાનો કર્યો ઉલ્લેખ
રાહુલે પોતાનાં સંબોધન દરમિયાન પુલાવામા અટેકનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે જમ્મૂ-કાશ્મીરને 'તથાકથિક હિંસક જગ્યા' જણાવ્યું. તેમણે કહ્યું કે કાશ્મીર ઈંસર્જેસી પ્રોન સ્ટેટ છે અને તથાકથિત હિંસક જગ્યા છે. હું તે જગ્યાએ પણ ગયો હતો જ્યાં આપણા 40 સૈનિકોને મારી નાખવામાં આવ્યું હતું.
'ભારતમાં લોકતંત્ર જોખમમાં છે'
તેમણે કહ્યું કે ભારતમાં લોકતંત્ર જોખમમાં છે. મારા ફોનમાં પણ પેગાસસ હતો. મને અધિકારીઓએ સલાહ આપી હતી કે 'હું પોતાના ફોન પર સાવચેતીથી વાત કરું કારણકે ફોનની રેકોર્ડિંગ કરવામાં આવી રહી છે. અમે લોકો સતત એક દબાણ અનુભવી રહ્યાં છીએ. વિપક્ષી નેતાઓ પર કેસ કરવામાં આવી રહ્યાં છે. મારા ઉપર પણ અનેક કેસો કરવામાં આવ્યાં છે.'