કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન તાકવાની તક ચૂકતા નથી. રાહુલ ગાંધી હાલમાં સતત ડાઉન જઇ રહેલી અર્થવ્યવસ્થાને લઇને મોદી સરકારની નીતિઓની સતત ટીકા કરી રહ્યાં છે. જેમાં રાહુલ ગાંધીએ દેશની અર્થવ્યવસ્થાને લઇને નવી એક વીડિયો શ્રેણી શરૂ કરી છે.
રાહુલ ગાંધીએ કહ્યું છે કે જે આર્થિક ટ્રેજડીમાંથી દેશ પસાર થઇ રહ્યો છે, તે દૂર્ભાગ્યપૂર્ણ હક્કીતની આજે પુષ્ટી થઇ જશે. ભારતીય અર્થવ્યવસ્થા 40 વર્ષમાં પહેલી વાર ભારે મંદી જોવા મળી રહી છે. 'અસત્યાગ્રહી' તેનો દોષ ભગવાનને આપી રહ્યાં છે. હકીકત જાણવા માટે મારો વીડિયો જુઓ.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે અર્થવ્યવસ્થાના મોરચા પર મોદી સરકાર પર નવા અંદાજમાં નિશાન તાક્યું છે. પોતાના નવા વીડિયો શ્રેણીમાં રાહુલ ગાંધીએ કોરોના સંકટના કારણે અર્થવ્યવસ્થાની સ્થિતિ પર વાત કરી. રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ સરકારે અસંગઠિત ક્ષેત્રોની અર્થવ્યવસ્થા પર હુમલો કર્યો અને તમને ગુલામ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
जो आर्थिक त्रासदी देश झेल रहा है उस दुर्भाग्यपूर्ण सच्चाई की आज पुष्टि हो जाएगी: भारतीय अर्थव्यवस्था 40 वर्षों में पहली बार भारी मंदी में है।
રાહુલ ગાંધીએ કહ્યું કે 2008માં દુનિયામાં આર્થિક તોફાન આવ્યું, અમેરિકાની કંપનીઓ બંધ થઇ ગઇ. પરંતુ ભારતમાં કાંઇ અસર ન થઇ, UPAની સરકાર હતી, મનમોહનસિંહજીને પૂછ્યું કે આવું કેમ થયું ? ત્યારે મનમોહન સિંહજીએ જણાવ્યું કે ભારતમાં બે અર્થવ્યવસ્થા છે, પહેલી સંગઠિત અને બીજી અસંગઠિત.