નવી દિલ્હીઃ સહારનપુરમાં થયેલી હિંસાને પગલે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મુલાકાતની મંજૂરી માંગી હતી પરંતુ રાહુલ ગાંઘીને સહારનપુર જવાની મંજૂરી ન મળી હોવા છતાં તે સહારનપુર જવા રવાના થયા છે. અહીં સહરાનપુર પ્રશાસને રાહુલ ગાંધીને સહારનપુર જવાની પરવાનગી આપી નથી. 5મેના રોજ દલિતો અને ઠાકુરો વચ્ચે ઝઘડા બાદ હિંસા ફાટી નીકળી હતી. જેમાં અત્યાર સુધી 2 લોકોનાં મોત થયા છે તેમજ અસંખ્ય લોકો ઘાયલ થયા છે. સવારે 9 વાગે રાજબબ્બર અને ગુલામ નવી આઝાદ તેમના નિવાસ્થાને પહોંચ્યા હતા. સવારે 8 વાગે સોનિયા ગાંધીને મળવા માટે 10 જનપથ પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ 9ની આસપાસ ઘરે પરત ફર્યા હતા. પ્રસાશને રાહુલના હેલીકોપ્ટરને સહારનપુર ઉતરવાની પરવાનગી આપી નથી. તેઓ રસ્તા મારફતે સહારનપુર પહોંચશે.
રાહુલ ગાંધી સાથે અખિલેશ યાદવ પણ જોડાઇ શકે છે. શુક્રવારે સહારનપુરમાં શબ્બીરપુર પહોંચેલા કોંગ્રેસ નેતા પીએલ પુનિયાએ કહ્યું કે જો પ્રશાસન અનુમતિ નહીં આપે તો સહારનપુર જવાની પરવાનગી આપવામાં નહીં આવે.
કોંગ્રેસ નેતા અને SC/ST વિભાગના અધ્યક્ષ પીએલ પુનિયા શુક્રવારે સહારનપુર જિલ્લા હોસ્પિટલમાં પહોંચ્યા. પુનિયાએ કહ્યું કે શબ્બીરપુરની હિંસા રાજ્ય સરકાર અને જિલ્લા પ્રશાસનની નિષ્ફળતા છે. હિંસા પીડિત લોકોને ન્યાય અને વળતર મળવું જોઇએ. પુનિયાએ કહ્યું કે અમે રાહુલ ગાંધીના પ્રવાસને લઇને જિલ્લા પ્રશાસન પાસે લેખિત અનુમતિ માંગી છે. પરંતુ કોઇ જ જવાબ પ્રાપ્ત થયો નથી.
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના સહારનપુર ગામના પ્રવાસ અંગે તંત્રએ પરવાનગી આપવાની મનાઇ કરી દીધી છે. શુક્રવારે યુપીના એડીજી લૉ એન્ડ ઓર્ડર આદિત્ય મિશ્રાએ કહ્યું કે 'રાહુલ ગાંધીના સહારનપુર મુલાકાતને પરવાનગી મળી નથી. અમે દરેક પક્ષોને અહીંયા ન આવવાનો આગ્રહ કર્યો છે. જિલ્લા તંત્ર ત્યાં સુધી મંજૂરી આપી ન શકે જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય.'