રાહુલ ગાંધીના હાથરસ પર જવાને લઇને કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાનીએ પલટવાર કર્યો છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે લોકો કોંગ્રેસની રાજનીતિ અંગે જાણે છે, એટલા માટે 2019માં ભાજપ માટે ઐતિહાસિક જીત સુનિશ્ચિત કરી.
કેન્દ્રીય મંત્રીએ રાહુલ ગાંધીના હાથરસ જવા પર એક રાજકીય સ્ટંટ બતાવ્યું છે. સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે લોકો જાણે છે કે રાહુલ ગાંધીનો હાથરસ જવાનો તેમની એક રાજનીતિનો એક ભાગ છે અને જેને પીડિતાને ન્યાય અપવા સાથે કોઇ સંબંધ નથી.
जनता ये समझती है कि उनकी(राहुल गांधी) हाथरस की तरफ कूच राजनीति के लिए है, इंसाफ के लिए नहीं: राहुल गांधी के आज हाथरस जाने पर केंद्रीय मंत्री स्मृति ईरानी #HathrasCasepic.twitter.com/gnyAMPjT9R
રાહુલ ગાંધીએ હાથરસ જવા પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે જનતા સમજે છે કે રાહુલ ગાંધીની હાથરસ તરથી કૂચ રાજકીય છે, ઇન્સાફ માટે નથી. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ સવારે ટવિટ કરી કહ્યું હતું કે પ્યારી દિકરી અને તેના પરિવારની સાથે યુપી સરકાર અને તેની પોલીસ દ્વારા કરવામાં આવી રહેલો વ્યવહાર મને સ્વીકાર નથી. કોઇપણ ભારતીયને આ સ્વીકાર ન કરવો જોઇએ.
તે સિવાય રાહુલ ગાંધીએ એક વધુ ટવિટ કર્યું છે કે લખ્યું કે દુનિયાની કોઇ પણ તાકાત મને હાથરસના આ દુઃખી પરિવારને મળી તેમના દુઃખને હળવું કરવાથી કોઇ રોકી નહીં શકે.