આજથી કોંગ્રેસની ચિંતન શિબિરની શરુઆત, રાહુલ ગાંધી દિલ્હીથી ઉદયપુર પહોંચ્યા ટ્રેનમાં. ત્રણ દિવસ યોજાશે ચિંતન શિબિર
આજથી કોંગ્રેસની ચિંતન શિબીરની શરુઆત
13 થી 15 મે સુધી ત્રણ દિવસ યોજાશે શિબીર
રાહુલગાંધી ટ્રેનમાં પહોંચ્યા ઉદયપુર
રાજસ્થાનના ઉદયપુરમાં આજથી કોંગ્રેસની ત્રણ દિવસીય નવ સંકલ્પ ચિંતન શિબિર શરૂ થવા જઇ રહી છે. કોંગ્રેસની ચિંતન શિબીર 13 થી 15 મે સુધી ચાલશે. જેમાં ચૂંટણીમાં સતત હારનો સામનો કરી રહેલ પાર્ટી તેની પુનઃરચના અને ધ્રુવીકરણની રાજનીતિનો સામનો કરવા માટે વ્યૂહરચના ઘડશે. આ શિબિરમાં કોંગ્રેસના 400થી વધુ દિગ્ગજો ભાગ લેશે. ત્યારે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ટ્રેનમાં મુસાફરી કરીને ઉદયપુર પહોંચી ગયા છે.
રાહુલ ગાંધી ટ્રેનથી ઉદયપુર પહોંચ્યા હતા
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુરુવારે રાત્રે 8 વાગ્યે ઉદયપુર પહોંચવા માટે ટ્રેન દ્વારા દિલ્હીના સરાય રોહિલા રેલવે સ્ટેશનથી નીકળ્યા હતા અને શુક્રવારે સવારે ઉદયપુર પહોંચ્યા હતા. મેવાડ એક્સપ્રેસમાં રાહુલ ગાંધી સહિત તમામ નેતાઓ માટે બે કોચ અગાઉથી જ બુક કરવામાં આવ્યા હતા. રાહુલ ગાંધી તાજ અરાવલી હોટલમાં રોકાશે. આ હોટલમાં ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને પૂર્વ પીએમ મનમોહન સિંહ સહિત અન્ય મોટા નેતાઓના રોકાણની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
શું કહ્યું રણદીપ સુરજેવાલે ?
કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે નવ સંકલ્પ ચિંતન શિબિરમાં અર્થવ્યવસ્થાનું સતત પતન, વધતી જતી આર્થિક અસમાનતા, મોંઘવારી અને કૃષિ ક્ષેત્રના કેટલાક જૂથોના હવાલે કરવાના ગાઢ ષડયંત્ર પણ વિચાર વિમર્શ કરવામાં આવશે. સાથે જ ભારતીય ક્ષેત્રમાં ચીનનો પ્રવેશ, SC/ST અને લઘુમતીઓના અધિકારો પરના હુમલાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે.
राजस्थान: कांग्रेस नेता राहुल गांधी आज होने वाले पार्टी के चिंतन शिविर में शामिल होने उदयपुर पहुंचे।
राजस्थान के मुख्यमंत्री अशोक गहलोत ने कहा, "राहुल गांधी का स्वागत है। स्टेशन पर हज़ारों लोग आए। शानदार स्वागत हो रहा है, लोगों में उत्साह है।" pic.twitter.com/2aWJRY5BN2
શુક્રવારે બપોરે લગભગ 2 વાગે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના સંબોધન સાથે ચિંતન શિબીરની શરૂઆત થશે. ત્યારબાદ નેતાઓ વચ્ચે જૂથ સંવાદ શરૂ થશે. જે સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. ત્યારબાદ બીજા દિવસે શનિવારે સમૂહ સંવાદ સવારે 10.30 વાગ્યાથી શરુ થશે. જે લગભગ 2:30 સુધી ચાલશે. આ પછી રાત્રે છ સમિતિઓની બેઠક મળશે. 15મી તારીખે છેલ્લા દિવસે સવારે 11 વાગ્યાથી ચિંતન શિબિરના કાર્યક્રમો શરુ થશે.
પોલીસ પ્રશાસન પણ એલર્ટ
આ ચિંતન શિબિરમાં 400થી વધુ નેતાઓ ભેગા થશે. જે જોતા રાજસ્થાન પોલીસ સુરક્ષા વ્યવસ્થાને લઇને સજ્જ બની છે. જિલ્લામાં અડધો ડઝનથી વધુ આઈપીએસ અધિકારીઓની પણ પોસ્ટિંગ કરવામાં આવી છે. તેમજ ADG લૉ એન્ડ ઓર્ડર હવાસિંહ ઘુમરિયા પણ ઉદયપુરમાં હાજર રહેશે.