ન્યૂ દિલ્હીઃ કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા એમ. વીરપ્પા મોઇલીએ બુધવારનાં રોજ એવો દાવો કર્યો કે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ 'નેતૃત્વની દરેક પરીક્ષાઓ' પાસ કરી લીધી છે અને આગામી લોકસભા ચૂંટણીમાં તેઓ પ્રધાનમંત્રીનાં રૂપમાં ઉભરી આવશે.
તમને જણાવી દઇએ કે ધીરે-ધીરે ફરી વાર પોતાનાં પગ પર ઉભી થઇ રહેલ કોંગ્રેસે મંગળવારનાં રોજ આવેલ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પરિણામો બાદ ત્રણ રાજ્યોની સત્તામાં વાપસી કરીને પોતાનાં લક્ષ્યને મજબૂત કરેલ છે. છત્તીસગઢમાં જ્યાં કોંગ્રેસને બહુમત પ્રાપ્ય છે. ત્યાં બીજી બાજુ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં તે સૌથી મોટી પાર્ટીનાં રૂપમાં ઉભરી આવેલ છે.
બસપા પ્રમુખ માયાવતીએ બુધવારનાં રોજ સવારનાં દિલ્હીમાં કહ્યું કે તેઓની પાર્ટી મધ્યપ્રદેશમાં ભાજપને સત્તાથી બહાર રાખવા માટે કોંગ્રેસનો સાથ આપશે. જરૂરિયાત પડવા પર તેઓ રાજસ્થાનમાં પણ કોંગ્રેસને સમર્થન આપશે.
પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે "જનતા ખૂબ લાંબા સમય સુધી નરેન્દ્ર મોદી અને તેઓની સરકારનાં કુશાસનને ઝેલી રહી છે. સાથે સાથે આ પાંચ રાજ્યોનાં ચૂંટણીનાં પરિણામનાં સંકેત પણ એ છે કે લોકો તેઓની સાથે સંપૂર્ણ રીતે નાખુશ છે."
તેઓએ જણાવ્યું કે જે રીતે તે સોનિયાજી અને રાહુલજીને વિશે વ્યક્તિગત દુષ્પ્રચાર કરે છે તેવાં લોકો જ કંઇ સહન નથી કરી રહ્યાં. આ સફળતા માત્ર કોંગ્રેસ પાર્ટીની નહીં પરંતુ નેતૃત્વની પણ છે.