લોકસભાની ચૂંટણીનો રંગ હવે ચારે બાજુ બરાબરનો જામી ચૂંક્યો છે. ત્યારે વારાણસી બેઠક પર પીએમ મોદી સામે પ્રિયંકા ગાંધી ટક્કર લઇ શકે છે. જ્યારે આ મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સસ્પેન્સ ભર્યું નિવેદન આપ્યું છે. તો જોઇએ રાહુલ ગાંધીનો સસ્પેન્સ ભર્યો આ અહેવાલ
કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી યૂપીની વારાણસી સીટ પરથી ચૂંટણી લડી શકે એવી અટકળો સામે આવી છે. કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ધ હિન્દૂને આપેલા ઈન્ટર્વ્યૂમાં કહ્યું કે, હું તમને આ મુદ્દે સસ્પેન્સ પર છોડુ છું. સસ્પેન્સ હંમેશા ખોટુ ના હોઈ શકે. હું કોઈ પણ વાતને નકારતો નથી કે સમર્થન પણ આપતો નથી, પણ આ મામલે સસ્પેન્સ સસ્પેન્સ જ રહે તો વધુ સારૂ. ત્યારે હવે પીએમ મોદી સામે વારાણસી બેઠક પરથી કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને મેદાને ઉતારી શકે છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ પણ પ્રિયંકા ગાંધી વારાણસીથી ચૂંટણી લડે તેવો ઈશારો કર્યો હતો. પણ હવે પ્રિયંકા ગાંધીના ચૂંટણી લડવાનો લઈને વિષય ચર્ચાનું કેન્દ્ર બન્યુ છે.
પ્રાપ્ત વિગતો મુજબ, પ્રિયંકા ગાંધીને વારાણસીના કોંગ્રેસ કાર્યકર્તાઓએ કરેલા આગ્રહ બાદ તેઓએ અહીંથી ચૂંટણી લડવા માટે હામી ભરી છે, પરંતુ અંતિમ નિર્ણય તો પાર્ટી હાઈકમાન્ડ લેશે. તો બીજી તરફ, પ્રિયંકા ગાંધીએ પણ અગાઉ ચૂંટણી લડવા અંગે ઈશારો આપતા કહ્યું હતુ કે, પાર્ટી જે પણ નિર્ણય લેશે તે મને મંજૂર હશે.