દેશની અર્થવ્યવસ્થા મુદ્દે રાહુલ ગાંધીએ કેન્દ્ર પર વધુ એક પ્રહાર કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે "હું મહિનાઓથી કહી રહ્યો હતો હવે RBIએ પણ માન્યું છે. RBIના વાર્ષિક રિપોર્ટને ટાંકીને રાહુલ ગાંધીએ કેન્દ્રને સલાહ આપી છે. જાણો રાહુલ ગાંધીએ શું સલાહ આપી છે.
RBIના વાર્ષિક રિપોર્ટને ટાંકીને રાહુલ ગાંધીએ કેન્દ્રને આપી સલાહ
સરકારે હવે વધુ ખર્ચાઓ કરવાની જરૂર નથી : રાહુલ ગાંધી
અર્થવ્યવસ્થાને સુધારવી હોય તો ઉદ્યોગપતિના ટેક્સ માફ ન કરો
કોર્પોરેટ ટેક્સ ઘટાડવાથી રોકાણ નથી વધ્યું પરંતુ અર્થવ્યવસ્થાને નુકસાન થયું : રાહુલ ગાંધી
રાહુલે બુધવારે ટ્વીટ કરી રહ્યું કે, ‘આરબીઆઈએ હવે પુષ્ટિ કરી દીધી છે કે જેની હું મે મહિનામાં ચતવણી આપી રહ્યો હતો. સરકારે હવે વધુ ખર્ચાઓ કરવાની જરૂર નથી. લોન આપવાની જરુર નથી. ગરીબોને પૈસા આપો, ઉદ્યોગપતિના ટેક્સ માફ ન કરો. ખપતના માધ્યમથી અર્થવ્યવસ્થાને ફરી શરુ કરો. મીડિયાના માધ્યમથી ધ્યાન ભંગ કરવાથી ન તો ગરીબોની મદદ થશે અને આર્થિક સંકટ દુર થશે.’
RBI has now confirmed what I have been warning for months.
Govt needs to:
Spend more, not lend more.
Give money to the poor, not tax cuts to industrialists.
Restart economy by consumption.
Distractions through media won't help the poor or make the economic disaster disappear. pic.twitter.com/OTDHPNvnbx
એક ટ્વીટ સાથે રાહુલ ગાંધીએ એક અખબરાના સમાચાર શેર કર્યા છે. જેમાં આરબીઆઈનો રિપોર્ટ અંગે લખાયુ છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે દેશમાં ખપતને ગંભીર ઝટકો લાગ્યો છે. ગરીબોને વધારે નુકાસાન પહોંચ્યું છે. આવામાં અર્થવ્યવસ્થાને પાટા પર પાછા ફરવામાં વધારે સમય લાગશે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સરકારે કોર્પોરેટ ટેક્સમાં જે ઘટાડો કર્યો છે તેનાથી રોકાણ નથી વધ્યું પરંતુ કંપનીઓએ આનો ઉપયોગ દેવુ ઘટાડવા અને કેશ બેલેન્સ કરવા માટે કર્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે લાંબા સમય સુધી લોકડાઉન થવાને કારણે દેશનીઅર્થવ્યવસ્થાને નુકસાન થયું છે.