17મી લોકોસભાનું સત્ર સોમવારથી શરૂ થઇ ગયું છે. એના પહેલા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત નવા નિમાયેલા સભ્યોએ લોકસભાની સભ્યતાના શપથ લીધા. રાહુલ ગાંધીએ ચોથી વખત લોકસભા સભ્યતાના શપથ લીધા છે.
સોમવારે રાહુલે શપથ લીધા બાદ રજિસ્ટર પર સહી કરવાનું ભૂલી ગયા અને પોતાની સીટ પર જવા લાગ્યા. ત્યારે કેટલાક અધિકારીઓએ રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત અન્ય સાંસદોએ એમને સહી કરવા માટે સંકેત આપ્યા. ત્યારબાદ રાહુલ ગાંધી પરત આવ્યા અને હસ્તાક્ષર કર્યા.
રાહુલ કેરળની વાયનાડ સીટથી સાંસદ તરીકે નિમણૂક થયા છે. એમને પોતાના પરિવારના ગઢ ઓળખાતા ઉત્તર પ્રદેશના અમેઠીથી પણ ચૂંટણી લડી હતી. ત્યાં કેઓ ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની સામે આશરે 55 હજારથી પણ વધારે મતોથી હારી ગયા હતા. રાહુલ ગાંધીએ અંગ્રેજીમાં શપથ લીધા. તેઓ લંચ ટાઇમ બાદ સદનમાં આવ્યા હતા. હસ્તાક્ષર કર્યા બાદ તેઓ પાછા પોતાની જગ્યા પર જઇને બેસી ગયા.
શપથ લીધા પહેલા એમને ટ્વિટ પણ કર્યું હતું. એમને ટ્વિટ કરતાં લખ્યું, 'લોકસભાના સભ્ય તરીકે મારો આજથી કાર્યકાળ શરૂ થઇ રહ્યો છે. હું કેરળના વાયનાડનું પ્રતિનિધિત્વ કરતા શપથ લઇને સંસદમાં નવી ઇનિંન્ગની શરૂઆત કરીશ. હું વિશ્વાસ અપાવું છું કે હું ભારતના સંવિધાન પ્રત્યે સાચી નિષ્ઠા અને વિશ્વાસ રાખીશ.'
My 4th consecutive term as a Member of the #LokSabha begins today. Representing Wayanad, Kerala, I begin my new innings in Parliament by taking my oath this afternoon, affirming that I will bear true faith and allegiance to the Constitution of India 🇮🇳