માનહાનીના કેસમા રાહુલ ગાંધીને સજા બાદ તેનું લોકસભા સભ્યપદ રદ કરાયું છે. ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીની પ્રતિક્રિયા સામે આવી છે.
રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા રદ કરાયાનો મામલો
રાજકીય આલમમાં ખળભળાટ સાથે ઘમાસાણ
રાહુલ ગાંધી અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીની પ્રતિક્રિયા
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા રદ કરી દેવામાં આવ્યા બાદ રાજકીય આલમમાં ખળભળાત્મચી જવા પામ્યો છે. આ મામલે ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષના નેતાઓ વચ્ચે રાજકીય ઘમાસાણ સર્જાયું છે. જે અંગે એક પછી એક નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી સહિતનાઓના નિવેદન સામે આવ્યા છે.
તો લોકસભાનું સભ્યપદ રદ થયા બાદ રાહુલ ગાંધીની પ્રથમ વખત પ્રતિક્રિયા સામે આવી છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને જણાવ્યું કે હું ભારતનો અવાજ બનવા માટે લડત લડી રહ્યો છું જેના માટે કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર છું.
..@narendramodi जी आपके चमचों ने एक शहीद प्रधानमंत्री के बेटे को देशद्रोही, मीर जाफ़र कहा। आपके एक मुख्यमंत्री ने सवाल उठाया कि राहुल गांधी का पिता कौन है?
कश्मीरी पंडितों के रिवाज निभाते हुए एक बेटा पिता की मृत्यु के बाद पगड़ी पहनता है, अपने परिवार की परंपरा क़ायम रखता है…1/4
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) March 24, 2023
તો પ્રિયંકા ગાંધીએ પણ ટ્વીટ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધા આરોપ સાથે તીખી પ્રતિક્રિયા આપી હતી.
મમતા બેનર્જીએ રાહુલ ગાંધીનાં સમર્થનમાં કહ્યું..
વધુમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમુલ કોંગ્રેસના નેતા મમતા બેનર્જીનું પણ નિવેદન સામે આવ્યું છે. રાહુલ ગાંધીના ટેકામાં નિવેદન આપતા તેમને કહ્યું કે વડાપ્રધાન મોદીના નવા ભારતમાં વિપક્ષી નેતાઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. જ્યારે ગુનાહિત પ્રવૃત્તિઓમાં ખરડાયેલા ભાજપના નેતાઓને કેબિનેટમાં સ્થાન અપાઈ રહ્યું છે.
શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેનું નિવેદન
તો મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું પણ નિવેદન આવ્યું છે. શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે આપણા દેશમાં કશૂરવારો આઝાદ છે અને રાહુલ ગાંધીએ સજા મળી ગઈ છે. આ લોક તંત્રની હત્યા છે. વહીવટી તંત્ર દબાવમાં હોવાના પણ આરોપ લગાવ્યા છે.
અખિલેશ યાદવે કહ્યું કે...
બીજી બાજુ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે પણ નિવેદન આપીને કહ્યું છે કે ભાજપે અગાઉ સમાજવાદી પાર્ટીના ઘણા બધા નેતાઓની સદસ્યતા છીનવી લીધી છે. હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સદસ્યતા પણ ગઈ અને મોંઘવારી, ઉદ્યોગપતિ, બેરોજગારી સહિતના વાસ્તવિક ચિત્ર પરથી લોકોનું ધ્યાન હટાવવા આ જાણી જોઈને કરવામાં આવી રહ્યાના આરોપ લગાવ્યા છે.