મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલ કૃષિ કાયદો દેશમાં વિવાદનો વિષય બની ગયો છે. કોંગ્રેસ પાર્ટી તરફથી તેનો પૂર્ણ વિરોધ કરી રહ્યું છે. આ વિરોધ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે કેટલાંક ખેડૂતો સાથે આ બિલ અંગે વાત કરી. રાહુલ ગાંધીએ એકવાર ફરી કૃષિ કાયદાનો વિરોધ કર્યો અને તેને અંગ્રેજોના કાયદાના કરાર સાથે સરખાવ્યો.
મહારાષ્ટ્રના એક ખૂડતે રાહુલ ગાંધીને કહ્યું કે અંગ્રેજો સાથે લડાઇ માટે મહાત્મા ગાંધીએ ઘણા આંદોલન કર્યા, આજે મહાત્મા ગાંધી જીવીત હોત તો આ કાયદાનો વિરોધ કરતા હોત. રાહુલ ગાંધીએ કહ્યું કે ત્રણ કૃષિ કિસાન અને નોટબંધી-જીએસટીમાં કોઇ ફર્ક નથી. પહેલા પગમાં કુલ્હાડી મારી અને હવે દિલમાં ચોટ આપી.
રાહુલ ગાંધીએ મોદી સરકાર પર હુમલો કર્યો, તેણે કહ્યું કે તેમને આ વાત સમજ નહી આવે, આ લોકો તો અંગ્રેજોની સાથે ઉભા હતા.
ખેડૂતોએ રાહુલ ગાંધીને કહ્યું કે MSPને લઇને કોઇ ભરોસો આપવામાં આવ્યો નથી, આ કાયદાથી માત્ર ધનવાનોને લાભ થશે. રાહુલ ગાંધીએ પૂછ્યું કે આ કાયદામાં સૌથી ખરાબ શું છે જેના પર ખેડૂતે કહ્યું કે જો ભલું કરવું છે તો MSP કેમ નથી લાવતા. ખેડૂતોએ કહ્યું કે શું અદાણી-અંબાણી સીધુ ખેડૂતો પાસેથી ખરીદશે ?
એક ખેડૂતે રાહુલ ગાંધીને કહ્યું કે પહેલા ઇસ્ટ ઇંડિયા કંપની હતી અને હવે આ કોર્પોરેટ કંપની આવી જશે. રાહુલે એક ખેડૂતના સવાલ કર્યો કે પીએમ મોદીએ MSPનું વચન આપ્યું છે, જેના પર ખેડૂતે કહ્યું કે તેઓ તેમની વાત માની રહ્યાં નથી.