દેશમાં કોરોનાના દર્દીઓનો આંકડો 11 લાખને પાર પહોંચી ગયો છે. કોરોના સંક્રમણના વધી રહેલા કેસોને લઇને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન તાક્યું છે. રાહુલ ગાંધીએ મંગળવારે ટ્વિટ કરી કોરોનાના સમયમાં મોદી સરકારની ઉપલબ્ધિઓ ગણાવી છે.
દેશમાં કોરોનાના વધતા કેસ પર રાહુલ ગાંધીનો કટાક્ષ
આત્મનિર્ભરના નામે રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર
રાહુલે ફેબ્રુઆરીથી જુલાઇ સુધીની ઘટનાઓ કરી ટ્વિટ
કોંગ્રેનસા પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં લખ્યું, કોરોના કાળમાં સરકારની ઉપલબ્ધિયોઃ ફેબ્રુઆરીમાં-નમસ્તે ટ્રમ્પ, માર્ચ-MPમાં સરકાર તોડી પાડી, એપ્રિલ-મીણબતી સળાગવી, મે-સરકારની 6ઠ્ઠી વર્ષગાઠ, જૂન-બિહારમાં વર્ચ્યુઅર રેલી, જુલાઇ-રાજસ્થાન સરકાર તોડી પાડવાનો પ્રયત્ન. આ માટે દેશ કોરોના સામેની જંગમાં 'આત્મનિર્ભર' છે.
कोरोना काल में सरकार की उपलब्धियां:
● फरवरी- नमस्ते ट्रंप
● मार्च- MP में सरकार गिराई
● अप्रैल- मोमबत्ती जलवाई
● मई- सरकार की 6वीं सालगिरह
● जून- बिहार में वर्चुअल रैली
● जुलाई- राजस्थान सरकार गिराने की कोशिश
છેલ્લા થોડા દિવસ પહેલા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભાજપ ખોટાને સંસ્થાગત તરીકે ફેલાવી રહી છે. કોરોના ટેસ્ટ પર અવરોધ મૂક્યો અને મૃતકોની સંખ્યા ખોટી બતાવી. જીડીપી માટે એક નવી ગણતરીની પદ્ધતિ લાગુ કરી. ચીની સેનાના ઘૂસણખોરી પર પડદો પાડવા મીડિયાને ધમકાવ્યું. આ ભ્રમ જલ્દી તુટી જશે અને દેશને તેની મોટી કિંમત ચુકાવવી પડશે.
भाजपा झूठ को संस्थागत तौर पर फैला रही है।
1. Covid19 टेस्ट पर बाधाएँ लगायीं और मृतकों की संख्या ग़लत बतायी।
2. GDP के लिए एक नई गणना पद्धति लागू की।
3. चीनी आक्रमण पर पर्दा डालने के लिए मीडिया को डराया।
ये भ्रम जल्द ही टूट जाएगा और देश को इसकी भारी क़ीमत चुकानी होगी।
કોરોનાના કેસોમાં એક મિલિયન એટલે કે 10 લાખનો આંકડો પાર થવા પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે 10,00,000નો આંકડો પાર થઇ ગયો. એટલી ઝડપથી કોરોના ફેલાયો તો 10 ઓગસ્ટ સુધી દેશમાં 20,00,000થી વધારે સંક્રમિત જોવા મળશે. સરકારે મહામારીને અટકાવવા માટે કડક પગલા લેવા જોઇએ.
PM fabricated a fake strongman image to come to power. It was his biggest strength.
ચીનના કથિત અતિક્રમણ પર રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું, ચીન જાણે છે કે નરેન્દ્ર મોદી માટે મજબૂત રાજકારણી રહેવુ મજબુરી છે. પીએમ મોદીને પોતાની 56 ઇંચની છબીની રક્ષા કરવી પડશે. આ અસલી આઇડીયા છે. એટલા માટે જ ચીન કહી રહ્યું છે કે જે અમે જે ઇચ્છીએ છે તે તમે નહીં કરો, તો અમે નરેન્દ્ર મોદીની મજબૂત છબીવાળા આઇડિયાને ખત્મ કરી દેશું.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ચિંતા આ વાતની છે કે પીએમ મોદી ચીનના દબાણમાં આવી ગયા છે. ચીન આપણી જમીન પર બેઠા છે અને પીએમ મોદી કહી રહ્યા છે કે એવું કંઇ થયું નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદીએ પોતાની છબી બચાવાના ચક્કરમાં તે જ કરી દીધુ કે જે ચીન ઇચ્છતું હતું.