ગત રોજ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે ઈડીએ નેશનલ હેરાલ્ડ કેસ મામલે પુછપરછ કરી હતી, જેમાં કેટલાય કોંગ્રેસી નેતાઓની અટકાયત થઈ હતી, ત્યારે હવે આજે ફરી એક વાર રાહુલ ગાંધી સાથે ઈડીએ સાડા ચાર કલાક સુધી પુછપરછ કરી હતી.
દિલ્હીમાં કોંગ્રેસ નેતાઓના ધરણા-કૂચ કરી રહ્યા છે કાર્યકર્તાઓ
આજે ફરી ઈડી દ્વારા રાહુલ ગાંધી સાથે પૂછપરછ
કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની થઈ અટકાયત
રાહુલ ગાંધી હાલમાં ઈડીની ઓફિસ બહાર આવી ગયા છે. જ્યાં તેમની સાથે લગભગ 4 કલાક સુધી પુછપરછ ચાલી હતી. આ ઉપરાંત અનેક કોંગ્રેસી કાર્યકર્તાઓની ધરપકડ પણ કરવામાં આવી છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, રાહુલ ગાંધી સાથે આટલી લાંબી પુછપરછ બાદ પણ એન્ફોર્સમેંટ ડિરોક્ટોરેટના અધિકારીઓ સંતુષ્ટ નથી. ગત રોજ અને આજે પણ સાડા ચાર કલાક સુધી રાહુલ ગાંધી સાથે પૂછપરછ થઈ હતી.
LATEST UPDATES
આજે બીજા દિવસે પણ રાહુલ ગાંધી EDની સામે હાજર થવાના છે. આ માટે દિલ્હી પોલીસે ટ્રાફિક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. દિલ્હી ટ્રાફિક પોલીસે જણાવ્યું છે કે વિશેષ ટ્રાફિક વ્યવસ્થાને કારણે નવી દિલ્હીમાં ગોલ ડાક ખાના જંક્શન, પટેલ ચોક, વિન્ડસર પ્લેસ, તીન મૂર્તિ, પૃથ્વીરાજ રોડથી આગળ બસોના આગમન પર પ્રતિબંધ રહેશે. આ સાથે ગોલ મેથી જંક્શન, તુઘલક રોડ જંક્શન, ક્લેરિજ જંક્શન, ક્યુ પોઈન્ટ જંક્શન, સુનહરી મસ્જિદ જંક્શન, મૌલાના આઝાદ રોડ જંક્શન અને માન સિંહ રોડ જંક્શનને સવારે 7 થી 12 વાગ્યાની વચ્ચે ટાળવાની સલાહ આપવામાં આવી છે.
(2.18 PM)
નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે સતત બીજા દિવસે પણ પૂછપરછ ચાલુ છે. તે જ સમયે વિરોધ કરી રહેલા કોંગ્રેસી કાર્યકર્તાઓની પણ ધરપકડ થઈ રહી છે. તો વળી બીજી બાજૂ કેન્દ્રીય તપાસ એજન્સીની કાર્યવાહીને ભાજપે કાયદેસર ગણાવી છે. ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફ્રરન્સ કરીને કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા ગત રોજ કહ્યું હતું કે, તમે જોઈ રહ્યા છો ને,ભ્રષ્ટાચારને લઈને ડ્રામા થઈ રહ્યા છે. ભ્રષ્ટાચાર પણ કરશે અને ડ્રામા પણ કરશે. તેમણે કહ્યુ કે, આ દેશમાં ન કોઈ રાજા છે, ન કોઈ રાજકુમાર, પાત્રાએ આગળ કહ્યું કે, એજીએલ કોંગ્રેસની સંપત્તિ નથી, યંગ ઈન્ડિયા કંપની બનાવીને મા-દિકરાએ સંપત્તિ હડપી લીધી.
(11.26 AM)
દેશની સ્થિતિ અત્યંત ગંભીર છે - અશોક ગેહલોત
રાજસ્થાનના સીએમ અને કોંગ્રેસના નેતા અશોક ગેહલોતે કહ્યું કે, દિલ્હી પોલીસ પર સરકારના દબાણની કોઈ કલ્પના પણ કરી શકતું નથી. અમે કલમ 144નો સામનો કરી શકીએ છીએ, પરંતુ તમે અમને AICC ઓફિસમાં આવતા રોકી શકતા નથી. દેશમાં સ્થિતિ ખૂબ જ ગંભીર છે.
No one can imagine the pressure from govt on Delhi Police... we can manage with Sec 144, but you can't stop us from coming into AICC office. Situation in the country is very serious. People coming on roads on Ram Navami & Friday namaz: Rajasthan CM & Congress leader Ashok Gehlot pic.twitter.com/bmyJbNf1Yz
વિપક્ષના અવાજને દબાવવા માટે કેન્દ્રીય એજન્સીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે - ભૂપેશ બઘેલ
કોંગ્રેસના આગેવાન-કાર્યકરોએ પદયાત્રા અટકાવી દેતાં અનેક મોટા નેતાઓ રસ્તા પર બેસી ગયા છે. છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ પણ રસ્તા પર બેઠા છે. મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે અમે શાંતિપૂર્ણ રીતે પગપાળા કૂચ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમને રોકવામાં આવ્યા. તેમણે કહ્યું કે પગપાળા કૂચ કરવામાં શું વાંધો છે. તેમણે એમ પણ કહ્યું કે વિપક્ષના અવાજને દબાવવા માટે કેન્દ્રીય એજન્સીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
(11.14 AM)
મુખ્યમંત્રીઓને મારવામાં આવી રહ્યા છે- સુરજેવાલા
કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓએ પગપાળા ચાલીને જઈ રહ્યા છે, પોલીસ તેમને રોકી રહી છે. સાથે જ કોંગ્રેસ નેતાએ કહ્યું કે, પોલીસે અમારી અટકાયત કરી છે. તો વળી સુરજેવાલાએ કહ્યું કે, મુખ્યમંત્રીઓને મારવામાં આવી રહ્યા છે.
Chhattisgarh CM & Congress leader Bhupesh Baghel detained by Delhi Police as he protests over ED probe against party leader Rahul Gandhi
Says, "Our protest will continue... what happened to ED cases against BJP leaders Himanta Biswa Sarma & Narayan Rane?... I've been detained." pic.twitter.com/a2pJngLRJy
કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાની પોલીસે ધરપકડ કરી છે. સાથે જ કોંગ્રેસ ઓફિસની આજૂબાજૂમાં કલમ 144 લાગૂ કરી દીધી છે.
Delhi | Congress leader Randeep Surjewala and others detained as they protest over ED probe against party leader Rahul Gandhi in the National Herald case pic.twitter.com/S8nBWXEQqh
Obviously, they're not following the law & in a democracy, we are entitled to protest... is there any BJP leader against whom the ED has registered a case in the last 4-5 years? Is there any BJP-ruled state where the ED has registered a case?: Senior Congress leader P Chidambaram pic.twitter.com/BVxNjnwR5v
કોંગ્રેસ નેતા પી. ચિદંબરમે કહ્યું કે, અમે કાયદાના દુરુપયોગનો વિરોધ કરી રહ્યા છીએ, જો ઈડી કાયદાનું પાલન કરે છે, તો અમને કોઈ સમસ્યા નથી, પણ ઈડી કાયદાનું પાલન કરી રહી નથી. અમે પૂછી રહ્યા છીએ કે, અનુસૂચિત ગુનો શું છે ? કોઈ જવાબ નથી, કોઈ પોલીસ એજન્સી ગુનો દાખલ કરતી નથી, કોઈ જવાબ આપતા નથી.