કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ધરેલૂ LPG સિલેન્ડરના ભાવમાં થયેલા વધારાને લઈને મોદી સરકાર પર આકરાં પ્રહારો કર્યા છે.
રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કર્યા પ્રહાર
કોંગ્રેસ પાર્ટી ગરીબો માટે કામ કરતી હતી-રાહુલ
આજના એક સિલેન્ડરની કિંમતમાં ત્યારે બે સિલેન્ડર આવતા
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ધરેલૂ LPG સિલેન્ડરના ભાવમાં થયેલા વધારાને લઈને મોદી સરકાર પર આકરાં પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, ખાલી કોંગ્રેસ પાર્ટી જ ગરીબો અને મધ્યમ વર્ગિય પરિવારના ભલા માટે કામ કરતી હતી.
રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં ધરેલૂ સિલેન્ડરના ભાવની સરખામણી કરી
તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસના સમયમાં 2014 સુધી એલપીજી સિલેન્ડરના ભાવ 827 રૂપિયાની સબ્સિડી સાથે 410 રૂપિયામાં બાટલો આવતો હતો. જ્યારે 2022માં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં 999 રૂપિયાથી વધારે છે. જ્યારે સબ્સિડી ઝીરો છે.
તેમણે કહ્યું કે, કોંગ્રેસ કાળમાં બે સિલેન્ડરની કિંમત બરાબર આજે એક સિલેન્ડર આવે છે. ખાલી કોંગ્રેસ જ ગરીબ અને મધ્યમ વર્ગીય ભારતીય પરિવારના ભલા માટે કામ કરે છે. આ અમારી આર્થિક નીતિનો મૂળ મંત્ર છે.
આપને જણાવી દઈએ કે, શનિવારે તેલ કંપનીઓએ ધરેલૂ એલપીજી સિલેન્ડર 14.2 કિલોના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરી દીધો છે. હવે ધરેલૂ સિલેન્ડરની કિંમત 999.50 રૂપિયા પ્રતિ સિલેન્ડર થઈ ગઈ છે. આ અગાઉ માર્ચ 2022માં ધરેલૂ સિલેન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.