ગઈકાલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને માનહાનિનાં કેસમાં 2 વર્ષની સજાની સાથે તેમની સંસદ સદસ્યતા પણ રદ થઈ ગઈ. તો હવે ચૂંટણી આયોગે કેરળની વાયનાડ સીટ પર પેટાચૂંટણી યોજવા અંગે વાતચીત શરૂ કરી છે.
રાહુલ ગાંધીનું સંસદ સદસ્યતા રદ
વાયનાડમાં એપ્રિલમાં થઈ શકે છે પેટાચૂંટણી
ચૂંટણી આયોગમાં આ મુદે થઈ રહી છે ચર્ચા
વાયનાડથી કોંગ્રેસનાં સાંસદ રહી ચૂકેલા રાહુલ ગાંધીની સંસદ સદસ્યતા રદ કરવામાં આવી છે. શુક્રવારે લોકસભા સચિવાલયે નોટિફિકેશન જારી કરતાં આ વાતની જાણકારી આપી હતી. સૂત્રો અનુસાર વાયનાડ લોકસભા ક્ષેત્રમાં પેટાચૂંટણીનો કાર્યક્રમ ઘોષિત થઈ શકે છે.
એપ્રિલમાં થઈ શકે છે પેટાચૂંટણી
ECએ વાયનાડમાં પેટાચૂંટણીને લઈને ચર્ચા શરુ કરી છે. સૂત્રો અનુસાર વાયનાડ લોકસભા ક્ષેત્રમાં પેટાચૂંટણીનો કાર્યક્રમ ઘોષિત થઈ શકે છે. સૂરત કોર્ટથી માનહાનિનાં મામલામાં 2 વર્ષની કેદની સજા સંભાળાવ્યાની સાથે રાહુલ ગાંધી સંસદમાંથી અયોગ્ય કરાર થયાં છે. કોર્ટે રાહુલ ગાંધીને અપીલ દાખલ કરવા માટે એક મહિનાનો સમયગાળો આપ્યો છે.
નિર્ણય પર સ્ટે લાગે તો...
કેટલાક વિશેષજ્ઞો કહે છે કે જનપ્રતિનિધિત્વ કાયદાની અંતર્ગત સાંસદ કે વિધાયક સજાનાં સસ્પેન્ડ થવા અને દોષીત કરાર કરનારા નિર્ણય પર સ્ટે લગાવ્યાં બાદ જ અયોગ્યતાથી બચી શકાય છે. તો અન્ય એક વિશેષજ્ઞએ કહ્યું કે 2 વર્ષ કે તેથી વધારેની સજા પર કોઈપણ જનપ્રતિનિધિ આપમેળે અયોગ્ય થઈ જશે. પરંતુ જો અપીલ કર્યાં બાદ સજા સસ્પેન્ડ થાય છે તો અયોગ્યતા પણ આપમેળે સસ્પેન્ડ થઈ જશે.
રાહુલ ગાંધી પાસે શું વિકલ્પો રહ્યાં?
રાહુલ ગાંધીની સજાનાં વિરોધમાં અપીલ કરવા માટે સૂરત કોર્ટે 30 દિવસનો સમય આપ્યો છે. રાહુલ ગાંધી સજાનાં વિરોધમાં કોર્ટમાં જશે. કોર્ટ જો સૂરતની કોર્ટનાં નિર્ણય પર રોક લગાવે છે તો તેને રાહત મળી શકે છે.
જો રાહુલ લક્ષ્યદ્વીપનાં સાંસદ મહોમ્મ્દ ફૈઝલનાં મામલાની જેમ રાહતની પણ આશા રાખી શકે છે. ફૈઝલને એક મામલામાં 10 વર્ષની સજા સંભળાવામાં આવી હતી. તેમની સીટ પર પેટાચૂંટણીનું એલાન પણ થઈ ગયું હતું. જો કે હાઈકોર્ટે ચૂંટણી પર રોક લગાવી હતી.
રાહુલ ગાંધી તેમને અયોગ્ય કરાર કરનારા લોકસભા મહાસચિવાલયનાં નિર્ણયનાં વિરોધમાં પણ કોર્ટમાં જઈ શકે છે.