જમ્મૂ-કશ્મીરના પુલવામામાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ પહોંચ્યા હતા. જોકે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધી મોબાઈલમાં વ્યસ્ત દેખાયા હતા. સૌ કોઈ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા હતા.
આ સમયે રાહુલ ગાંધી મોબાઈલમાં વ્યસ્ત હતા. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં જ્યા એક આતંકી હુમલામાં 40થી વધારે સીઆરપીએફના જવાનો શહીદ થવા પર દેશમાં જ્યાં લોકોમાં ગુસ્સો અને જનઆક્રોશ જોવા મળી રહ્યો છે ત્યાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આવા સમયે સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થઇ રહ્યાં છે.
અભિનેતા અને ભાજપના સાંસદ પરેશ રાવલે પોતાના ટવિટર એકાઉન્ટ પરથી એક ફોટો શેર કર્યો છે જે ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ ફોટોમાં રાહુલ ગાંધી શહીદોને શ્રધ્ધાંજલી આપવા પહોંચ્યા હતા ત્યારે ગૃહપ્રધાન રાજનાથસિંહ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ રક્ષા પ્રધાન નિર્મલા સીતારમણ અને કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન રાઠોડ સાથે ઉભા જોવા મળી રહ્યાં છે. આ ફોટામાં રાહુલ ગાંધી પોતાના મોબાઇલમાં કંઇક જોઇ હોય તેવું દેખાઇ રહ્યું છે.
અભિનેતા પરેશ રાવલે ફોટો શેર કરતાં રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું અને કેપ્શનમાં લખ્યું હતું કે રાહુલ ગાંધી શહીદોને સાચી રીતે સન્માન પણ આપી શકતા નથી.
એક તરફ દેશ શહીદ જવાનો પર દુઃખમાં છે ત્યારે રાહુલ ગાંધી શ્રધ્ધાંજલી સમારોહમાં ફોન પર વ્યસ્ત જોવા મળી રહ્યાં છે. જો કે ત્યારબાદ સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધી વિરુધ્ધ લોકો દ્વારા ટીકા કરવામાં આવી રહી છે.