લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને તેમની પરંપરાગત બેઠક અમેઠીથી હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઇરાની તેમને લગભગ 55 હજાર મતોથી હરાવ્યા છે. પરંતુ એક રાજનીતિક વર્તૂળોમાં ચર્ચા ચાલી રહી છે કે રાહુલ ગાંધી ખરેખર, હાર્યા નથી, તેમને અમેઠીના લોકોએ સજા આપી છે.
અમેઠીના ઘણા લોકોનું કહેવું છે કે રાહુલ ગાંધી સતત સાંસદ રહ્યા છે પરંતુ રાજીવ ગાંધી ઉપરાંત ત્યાં કોઇએ પણ વિકાસ કર્યો નથી. રાહુલ ગાંધીએ તો બિલકુલ પણ કર્યો નથી. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની એક રિપોર્ટ મુજબ સુશીલા શુક્લા નામની એક દુકાનદારે જણાવ્યું કે, તેમના પરિવારમાં તે એકલી સભ્ય રહી ગઇ છે જેમણે કોંગ્રેસને વોટ આપ્યો છે. એમણે જણાવ્યું કે રાહુલ ગાંધી અમેઠીમાં વિકાસ કરાવવામાં નિષ્ફળ રહ્યા છે. સુશીલાનું કહેવું છે કે રાહુલ ગાંધી પોતાના પિતા રાજીવ ગાંધીની શાખના દમ પર જીતતા રહ્યા છે. જો તેમણે ખરેખર કામ કર્યું હોત તો તે જરૂર જીત્યા હોત.
એડવોકેટ વિનોદ કુમાર શુક્લા અનુસાર, રાહુલ ગાંધીને અમેઠીમાં કોઇ કામ કર્યું નથી. રાજીવ ગાંધીએ અમેઠીમાં વિકાસ કાર્ય કર્યા હતા. રાહુલ ગાંધીને માત્ર તેમની ઇમેજ પર વોટ મળી રહ્યા હતા.
અમેઠીમાં મતદાતા વર્ગ વચ્ચે એક જનરેશન ગેપ જોવા મળ્યો. વૃદ્ધો વચ્ચે કોંગ્રેસનો ક્રેઝ હજુ એમનો એમ છે. લોકો રાજીવ ગાંધી અને ઇન્દિરા ગાંધીની છબીને યાદ કરે છે. જ્યારે યુવા મતદારોએ ભાજપ પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
જુના મતદારોમાં ઘણા એવા છે કે જે કહે છે કે આ બેઠક પર ફરી પ્રભાવ વધારવા રાહુલ ગાંધીએ ઘણી મહેનત કરવી પડશે. જો આવનારા પાંચ વર્ષોમાં સ્મૃતિ ઇરાની સારું કામ કરે છે તો તેમને હટાવવાનો કોઇ પ્રશ્ન ઉભો નથી થતો.
સ્થાનિય લોકો અનુસાર, ગત ચૂંટણીમાં મળેલી હાર છતા સ્મૃતિ ઇરાની એમેઠી આવતી રહી. લોકોને મળતી રહી. કાર્યક્રમોમાં ભાગ લેતી રહી. સ્મૃતિ ઇરાનીના પ્રયાસ તેમને જીત અપાવવા માટે અહમ ભૂમિકા નિભાવી. અહીં અપૂર્વ શ્રીવાસ્તવે હાલમાં જ ડેરીનું કામ કર્યું છે. તેમનું કહેવું છે કે તેમણે 2014માં કોંગ્રેસને વોટ આપ્યો હતો. આ વખતે વિકાસને વોટ આપ્યો છે. તેમનું કહેવું છે કે, સ્મૃતિ ઇરાનીએ અહીં સમય વિતાવ્યો છે. ફેક્ટરી શરૂ કરાવવી જેવા કામ કર્યા છે. સ્મૃતિ ઇરાની એ અમેઠીનો ભાગ બનીને કામ કર્યું છે.
આરટીઓ પાસે દુકાન ધરાવતા હંસરાજ યાદવનું કહેવું છે કે અત્યાર સુધી કોંગ્રેસ વિરુદ્ધ મતદાન કરવાનો કોઇ વિકલ્પ નહોતો. કેમકે લાગતું હતું કે એ ગાંધી પરિવારનું અપમાન કહેવાશે. જોકે એમણે કહ્યું કે રાહુલ ગાંધીને જે તક મળી, એ સમયને તેમણે વ્યર્થમાં ગુમાવી દીધો.