કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સંસદની બહાર ભલે અવનવું ઉમેરીને બોલે છે પરંતુ લોકસભામાં પાંચ વર્ષ દરમ્યાન તેઓએ ક્યારેય એક પણ સવાલ નથી પૂછ્યો. સાથે સાંસદ વિકાસ નિધિ (એમપી લૈડ)નાં રૂપિયા ખર્ચ કરવામાં પણ ખૂબ પાછળ છે. બીજી બાજુ વિકાસનાં નામ પર રાજનીતિ કરનારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ એમપી લૈડને આધારે વિકાસ કરવામાં કંજૂસ છે.
સંસદ અને સાંસદોનાં કામકાજ પર કેન્દ્રિત વેબસાઇટ 'પાર્લિયામેંટ્રી બિઝનેસ ડોટ કોમ'નાં અધ્યયન અનુસાર તમામ નેતા સંસદ અને સંસદની બહાર તો ખૂબ સક્રિય દેખાયા પરંતુ સાંસદની સૌથી પ્રમુખ જવાબદારી સવાલ પૂછવાને મામલામાં બિલકુલ ઢીલાં સાબિત થયાં.
કુલ 31 સાંસદ એવાં છે કે જેઓએ એક પણ સવાલ પૂછવું યોગ્ય નથી સમજ્યું. વેબસાઇટ 'પાર્લિયામેંટ્રી બિઝનેસ ડોટ કોમ'નું લોકાર્પણ લોકસભાધ્યક્ષ સુમિત્રા મહાજને કર્યું હતું. વેબસાઇટે લોકસભાનાં બજેટ સત્ર સહિત પૂરા પાંચ વર્ષનાં તમામ સત્રોનું ઉંડાઇથી વિશ્લેષણ કરીને અનેક રોચક જાણકારીઓ રજૂ કરી છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વરિષ્ઠ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી દિગ્ગજ ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણી અભિનેતાથી નેતા બનેલ શત્રુઘ્ન સિન્હા સમાજવાદી દિગ્ગજ મુલાયમ સિંહ યાદવ અને પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડા જેવાં નેતાઓમાં એક સમાનતા એ છે કે જેઓએ લોકસભાનાં પાંચ વર્ષનાં કાર્યકાળમાં ક્યારેય પણ એક સવાલ પણ નથી કર્યો.