ભૂતપૂર્વ આર્મી ચીફ અને કેન્દ્રીય રાજ્ય પ્રધાન જનરલ વી.કે.સિંહે ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ અંગે નિવેદન આપીને વિવાદ ઉભો કર્યો છે. કેન્દ્રીય પરિવહન રાજ્ય પ્રધાન વીકે સિંહે કહ્યું છે કે ભારતે ચીન કરતા વધુ વાર LACનું ઉલ્લંઘન કર્યું છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કર્યું ટ્વિટ
કેન્દ્રીય મંત્રી વી કે સિંઘ પર કર્યા પ્રહાર
એલએસીને લઈને આપેલા નિવેદનને લઈને કર્યા સવાલ
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ નિવેદન પર કડક પ્રતિક્રિયા આપી છે અને કેન્દ્રીય મંત્રીને બરતરફ કરવાની માંગ કરી છે. રાહુલ ગાંધીએ વી.કે.સિંઘના નિવેદન અંગે ટ્વિટર પર આ અંગેની પ્રતિક્રિયા આપી હતી.
શા માટે ચીનને મદદ કરી રહ્યા છો? : રાહુલ ગાંધીનો વેધક સવાલ
તેમણે ટ્વિટ કર્યું હતું કે, ભાજપના મંત્રી ભારત સામે કેસ કરવામાં ચીનને કેમ મદદ કરી રહ્યા છે? તેઓએ બરતરફ થવું જોઈએ. તેમને બરખાસ્ત ન કરવું એ દરેક ભારતીય જવાનનું અપમાન હશે. '' વી.કે.સિંઘના નિવેદન પર ચીને કહ્યું છે કે ભારત વારંવાર એલએસીનું ઉલ્લંઘન કરી રહ્યું છે અને તેનાથી મુકાબલોની સ્થિતિ સર્જાઇ છે. મહત્વનું છે કે ગત વર્ષના મે મહિનાથી ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવ છે. ગલવાન ખીણમાં મુકાબલોમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા. તે સમયે ચીનના પણ 35 થી વધુ સૈનિકો માર્યા ગયા હતા જો કે ચીને તેને સ્વીકાર્યું નહોતું.
ભારતનું કહેવું છે કે ચીની સેનાએ કોઈ ઉશ્કેરણી કર્યા વિના ઘણી વખત ભારતીય સરહદમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતીય સૈનિકોએ તેમને પરત તેમના વિસ્તારમાં ધકેલી દીધા હતા, જેમાં આ અથડામણ થઈ હતી. જો કે તેના પછી તાજેતરમાં જ વધુ એક વાર સિક્કિમના મોરચે નકુલામાં ચીન અને ભારતની સેનાઓ વચ્ચે અથડામણ થઈ હતી, પરંતુ ભારતીય સેના તરફથી કરવામાં આવેલા એક નિવેદનમાં તેને સામાન્ય અથડામણ તરીકે ગણાવાઈ હતી.
ભારત અને ચીને સામસામે ખડકી છે વિશાળ સેના
ભારત અને ચીન વચ્ચે હાલમાં જ ઘણા રાઉન્ડની સૈન્ય વાતચીત કરવામાં આવી છે, જેમાં બંને પક્ષો પોતપોતાની સેના અમુક હદ સુધી પરત ખેંચવા તૈયાર થયા હતા, પણ ચીને આ સમજૂતીની ઉલટમાં સરહદ પર સૈનિકોનો જમાવડો વધારી દીધો હતો, જેને લઈને ભારતે પણ મોટી સંખ્યામાં સેનાને તૈનાત કરવાની ફરજ પડી છે.