કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પરીક્ષાઓ મુદ્દે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) ની આકરી ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે કોરોના મહામારીની વચ્ચે પરીક્ષાનું આયોજન કરવું ખૂબ ખોટું હશે. કોંગ્રેસ નેતાએ પરીક્ષા રદ કરવા અને વિદ્યાર્થીઓને તેમની અગાઉના પ્રદર્શનના આધારે પ્રમોશન આપવાની માંગ કરી છે.
રાહુલ ગાંધીએ શુક્રવારે ટિ્વટ કર્યું હતું કે, "કોવિડ 19 મહામારીની વચ્ચે પરીક્ષાનું આયોજન કરવું ખૂબ જ ખોટું છે. UGCએ વિદ્યાર્થીઓ અને શિક્ષણવિદોનો મત સાંભળવો જોઈએ. પરીક્ષાઓ રદ થવી જોઈએ અને વિદ્યાર્થીઓને તેમના પાછલા પરફોર્મન્સના આધારે આપવું જોઈએ."
કોંગ્રેસ નેતાએ UGC પર કન્ફ્યુઝન પેદા કરવાનો આરોપ લગાવી પોતાના ટ્વિટ સાથે એક નાનો વીડિયો મેસેજ પણ જાહેર કર્યો હતો.
It is extremely unfair to conduct exams during the Covid19 pandemic.
કોવિડે ઘણા લોકોને નુકસાન પહોંચાડ્યું છે. આપણા જે વિદ્યાર્થીઓ છે શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓમાંના... તેમણે ઘણું સહન કરવું પડ્યું છે. IIT અને કોલેજોએ પરીક્ષા રદ કરીને વિદ્યાર્થીઓને પ્રમોશન આપ્યું છે. UGC કન્ફ્યુઝન પેદા કરી રહ્યું છે. તેમણે પરીક્ષાઓ રદ કરવી જોઈએ અને પાછલા પરફોર્મન્સના આધારે બાળકોને પ્રમોશન આપવું જોઈએ.
તમને જણાવી દઈએ કે HRD મંત્રાલયે સોમવારે જાહેરાત કરી હતી કે યુનિવર્સિટીઓમાં છેલ્લા વર્ષની પરીક્ષા સપ્ટેમ્બરના અંતમાં લેવામાં આવશે. આ પરીક્ષાઓ જુલાઈમાં યોજાવાની હતી, પરંતુ કોરોના વાયરસ મહામારીને કારણે તેઓ સપ્ટેમ્બરના અંત સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. જો કે, UGCની નવી માર્ગદર્શિકા મુજબ, સપ્ટેમ્બરમાં છેલ્લા વર્ષની પરીક્ષામાં ભાગ ન લેનારા વિદ્યાર્થીઓને બીજી તક મળશે અને યુનિવર્સિટીઓ તેમના માટે વિશેષ પરીક્ષા લેશે.