કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ખાનગીકરણ અને સરકારી જોબ મુદ્દે મોદી સરકાર ઉપર પ્રહારો કર્યા છે.
તેમણે કહ્યું કે યુવા વર્ગ નોકરીઓ માંગે છે અને મોદી સરકાર PSUનું ખાનગીકરણ કરીને રોજગારી અને બચત બંનેને નષ્ટ કરી રહી છે.
રાહુલ ગાંધીએ ટ્વીટર ઉપર લખ્યું કે "આજે દેશ મોદી સરકાર નિર્મિત ઘણી આપત્તિઓનો સામનો કરી રહ્યો છે. તેમાંથી એક છે જરૂર વગરનું ખાનગીકરણ. યુવાનો નોકરીઓ માંગે છે પરંતુ મોદી સરકાર PSUનું ખાનગીકરણ કરીને રોજગારી અને બચત બંનેને નષ્ટ કરી રહી છે. અહીં ફાયદો કોનો છે? બસ મોદીજીના થોડા ખાસ મિત્રોનો જ વિકાસ થઇ રહ્યો છે. Stop Privatisation Save Govt Jobs."
आज देश मोदी सरकार-निर्मित कई आपदाएँ झेल रहा है जिनमें से एक है अनावश्यक निजीकरण।
युवा नौकरी चाहते हैं पर मोदी सरकार PSUs का निजीकरण करके रोज़गार व जमा पूँजी नष्ट कर रही है।
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અર્થતંત્ર, કોરોના વાયરસ, સરકારી નોકરી અને જીએસટી જેવા મુદ્દાઓ પર મોદી સરકાર પર નિશાન સાધતા હોય છે. તેમણે આજે કહ્યું હતું કે મોદી સરકાર દેશને સંકટમાં નાખીને કોઈ સમાધાન શોધવાના બદલે શાહમૃગ બની જાય છે. દેશ દરેક ખોટી દોડમાં આગળ છે - તે કોરોના ચેપના આંકડા હોય અથવા જીડીપીમાં ઘટાડો હોય.