કોરોના વાયરસના કારણે દેશ આર્થિક સંકટથી પસાર થઇ રહ્યો છે ત્યારે રાહુલ ગાંધીએ આ મુદ્દે ઉદ્યોગપતિઓને મદદ થઇ રહી હોવાના આરોપ સાથે મોદી સરકાર પર હુમલો કર્યો છે.
મોદી સરકાર પર રાહુલ ગાંધીનો સૂટબૂટની સરકાર હોવાનો કટાક્ષ
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સરકાર પર હુમલો કરવાનો એક મોકો છોડતા નથી ત્યારે ચીન સીમા વિવાદ, કોરોનાનો હાહાકાર અને અર્થવ્યવસ્થા મુદ્દે રાહુલ ગાંધી સતત મોદી સરકાર પર આક્રમક છે ત્યારે હવે મોટા ઉદ્યોગપતિઓને ટેક્સ છૂટ આપવાનો મુદ્દો ઉઠાવ્યો છે.
મધ્યમ વર્ગને લોન પર વ્યાજ માફી પણ નહીં
રાહુલ ગાંધીએ કેન્દ્ર સકરારને સૂટબૂટની સરકાર બતાવતા કહ્યું કે '1450000000000 ( 1.45 લાખ કરોડ રૂપિયા ) ટેક્સ છૂટનો ફાયદો મોટા ઉદ્યોગપતિઓને આપવામાં આવ્યો પરંતુ મધ્યમ વર્ગને લોન પર વ્યાજ માફી પણ નહીં, કારણ કે આ છે સૂટબૂટની સરકાર.
આર્થિક મોરચે સરકાર પર આક્રમક રાહુલ ગાંધી
નોંધનીય છે કે મોરેટોરિયમકાળ દરમિયાન ટાળવામાં આવેલ EMI પર વ્યાજ ન લેવાની માંગ પર સરકારે કોઈ નિર્ણય લેતા સુપ્રીમ કોર્ટે સરકાર અને રિઝર્વ બેંકને ફટકારી હતી. ઓગસ્ટ મહિનામાં મોરેટોરિયમ અવધી સમાપ્ત થઇ ગઈ હતી. વિપક્ષી પાર્ટીઓ સતત મોદી સરકાર પર મોટા ઉદ્યોગપતિનું દેવું માફ કરવાનો આરોપ લગાવતી જ રહે છે ત્યારે રાહુલ ગાંધી પણ સરકાર પર સતત હુમલાઓ કરી રહ્યા છે.
બુધવારે પણ કર્યો હતો હુમલો
તેમણે બુધવારે પણ ટ્વિટ કરીને કહ્યું હતું કે 'RBIએ પણ એ જ વાતની પુષ્ટિ કરી નાખી જે મેં મહિનાઓ પહેલા જ ચેતવણી આપી દીધી હતી. જરૂરી છે કે સરકાર ખર્ચો વધારે, ઉધાર નહીં ગરીબોને પૈસા આપે ના કે ઉદ્યોગપતિઓના ટેક્સ કાપીને અર્થવ્યવસ્થાને શરુ કરે. મીડિયા દ્વારા ધ્યાન ભટકાવવાથી ગરીબોની મદદ નહીં થાય અને આર્થી આફત પણ નહીં જાય.