દેશભરમાં કોરોના વાયરસ બેકાબૂ બન્યો છે. દરરોજ વધી રહેલા કેસના આંકડા ચિંતાજનક બાબત છે. નોંધનીય છે કે, દેશમાં અત્યાર સુધીમાં 42 લાખથી વધુ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. ત્યારે આજે ફરી એકવાર મોદી સરકાર પર રાહુલ ગાંધીએ આકરા પ્રહાર કર્યા હતા.
રાહુલના ફરી મોદી સરકાર પર પ્રહાર
કોરોના વધવાનું કારણ મોદી સરકારનો ગેરવહીવટ હોવાની કરી વાત
કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, મોદી સરકારના ગેર વહીવટને કારણે હાલત બગડી છે. ભારતમાં કોરોનાના કુલ કેસ દુનિયામાં બીજા નંબરે છે. સપ્તાહના અંતમાં ભારત, અમેરિકા અને બ્રાઝિલ કરતા વધુ કેસ ધરાવે છે. રવિવારે વિશ્વના કુલ કોરોના કેસોમાં ભારતનો હિસ્સો 40 ટકા હતો. રાહુલે પણ પોતાની ટ્વિટમાં સલામત રહેવાની અપીલ કરી છે.
Due to Modi Govt’s gross mismanagement of Covid:
1. India’s total cases world’s 2nd highest.
2. India’s weekend tally higher than US & Brazil put together.
3. On Sunday, India's share was 40% of total cases worldwide.
રાહુલે ટ્વીટ કર્યું, 'મોદી સરકારના ગેરવહીવટને કારણે ...
1. ભારતમાં કોરોનાના કુલ કેસ વિશ્વમાં બીજા ક્રમે છે.
૨. અમેરિકા અને બ્રાઝિલની સરખામણીએ સપ્તાહના અંતે ભારતમાં વધુ કેસ છે.
3. રવિવારે વિશ્વના કુલ કોરોના કેસોમાં ભારતનો હિસ્સો 40 ટકા હતો.
4. કોરોનાના કેસમાં કોઈ જ ઘટાડો નોઁધાયો નથી.
અગાઉ રાહુલ ગાંધીએ LIC માં હિસ્સો વેચવા માટે મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, મોદી જી 'સરકારી કંપની વેચો'નું અભિયાન ચલાવી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમણે બનાવેલા આર્થિક વિનાશની ભરપાઇ માટે દેશની સંપત્તિ થોડોક ઓછો વેચાઇ રહી છે. લોકોના ભાવિ અને વિશ્વાસને ધ્યાનમાં રાખીને મોદી સરકારનો એલઆઈસી વેચવાનો બીજો શરમજનક પ્રયાસ છે.
રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં એક સમાચાર શેર કર્યા છે. જેમાં તેમણે કહ્યું છે કે કેન્દ્ર સરકાર એલઆઈસીમાંથી 25 ટકાની ભાગીદારી વેચશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ, મુંબઈ, લખનૌ સહિતના કેટલાક એરપોર્ટની જવાબદારી મોદી સરકારે અદાણીને સોંપી દીધી છે. એર ઈન્ડિયા વેચવા કાઢી છે. રેલ્વેમાં ખાનગીકરણ માટે તલપાડ છે સરકાર. આ ઉપરાંત અનેક બેંકનોના ખાનગીકરણ અને વિલીની કરણ પર નજર રાખીને બેઠી છે સરકાર. નોંધનીય છે કે રાહુલ ગાંધી અનેક મુદ્દાઓ પર સરકારને સમયે સમયે ઘેરી છે અને નિશાન સાધી ટકોર કરી છે.