કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પૂર્ણ થઇ ગઇ છે. બેઠક દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે હું અધ્યક્ષ તરિકે કામ કરવા નથી ઇચ્છતો, પાર્ટી માટે કામ કરવા માંગુ છું. જે બાદ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા નીકળી ગયા.
બેઠકમાં કોંગ્રેસ વર્કિગ કમિટિ સભ્યોએ પોતાની વાત રાખી. સભ્યોનું રાહુલ ગાંધીને કહેવું છે કે આપ રાજીનામું આપશો નહીં. આપ કાર્ય કરો. તમામ સભ્યોની વાત સાંભળીને રાહુલ ગાંધીએ બેઠકને સંબોધિત કરી છે.
સોનિયા-પ્રિયંકા-મનમોહને સમજાવ્યા
આ પહેલા 23 મે રાહુલ ગાંધીએ સોનિયા ગાંધીના રાજીનામુ આપવાની વાત કહી હતી. એના પર એમણે (સોનિયા ગાંધી) રાહુલ ગાંધીને કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં પોતાની વાત રાખવા કહ્યું હતું. આજે પણ રાહુલ ગાંધી રાજીનામુ આપવા માંગતા હતા. પરંતુ બેઠક પહેલા પ્રિયંકા ગાંધી અને મનમોહન સિંહને રાહુલને સમજાવ્યા. મનમોહન સિંહે કહ્યું કે હાર-જીત મળતી રહે છે. રાજીનામાની જરૂર નથી.
હાર પર મંથન
મોદી સરકારની લહેરમાં કોંગ્રેસની જે હાલત થઇ છે, તેનાથી સૌ કોઇ હેરાન છે. લોકસભા ચૂંટણીમાં મળેલી હાર પર મંથન કરવા માટે કોંગ્રેસના દિગ્ગજ એકઠા થયા છે. આ બેઠકમાં હિસ્સો લેવા માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, મલ્લિકાર્જૂન ખડગે, ગુલામ નબી આઝાદ, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ પણ બેઠકમાં સામેલ થયા છે.
52 સીટો પર જીતી કોંગ્રેસ, અમેઠીમાં મળી હાર
2014ના મુકાબલે આ ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 8 સીટ વધારે મળી છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસને 44 સીટ મળી હતી. જ્યારે આ વખથે પાર્ટીને માત્ર 52 સીટ મળી છે. આથી કોંગ્રેસને લોકસભામાં હવે વિપક્ષનો પણ દરજ્જો નહીં મળે. એ માટે પણ 54નો આંકડો જોઇએ. રાહુલ ગાંધી ભલે વાયનાડથી બમ્પર વોટોથી જીત્યા હોય પરંતુ અમેઠીમાં પોતાનો ગઢ ગૂમાવી દીધો છે. સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે રાહુલ ગાંધના રાજીનામા સાથે કોંગ્રેસના અન્ય કેટલાક નેતાઓના રાજીનામાની પણ વાત સામે આવી છે.