નવી દિલ્હીઃ રાહુલ ગાંધી આજે રાજસ્થાનમાં સભા ગજવશે. તેઓ રાજસ્થાનમાં બે રેલી સંબોધશે અને પાર્ટી કાર્યકર્તાઓ સાથે વાતચીત કરશે. રાહુલ ગાંધી સૂરતગઢ, ગંગાનગર અને બૂંદીમાં રેલી કરશે. જ્યારે જયપુરમાં રામલીલા મેદાનમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરશે.
આગામી લોકસભા ચૂંટણી પ્રચાર માટે રાહુલ ગાંધીનો આ પહેલો રાજસ્થાન પ્રવાસ છે. જ્યાં કુલ 25 સીટો માટે બે તબક્કામાં મતદાન થશે.
ત્યારે ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડે રાહુલ ગાંધી પર નિશાન સાધતા સાત સવાલ કર્યા. તેઓ રાજસ્થાન સરકારના ખેડૂતોને દેવુમાફ કરવાને લઇ અને બેરોજગારી ભથ્થુંના વાયદા પર સવાલ ઉઠાવ્યા.
ખેડૂતોના દેવામાફીનું શું થયું ?
PM મોદીએ કિસાન સમ્માન નિધિની જાહેરાત કરી
1. રાજસ્થાન સરકારે ખેડૂતોની યાદી કેન્દ્રને કેમ નથી આપી?
2. રાજસ્થાનમાં ભામાશાહ યોજનાને બંધ કેમ કરી?
3. આયુષ્માન ભારત યોજનાને પણ ન સ્વીકારી !
રાજસ્થાનમાં તમારી સુરક્ષામાં પોલીસ વ્યસ્ત છે
રાજસ્થાનમાં બે દિવસમાં 10 બળાત્કાર થયા
4. બેરોજગારોને 3 હજાર 500 પ્રતિ મહિને આપવાનું વચનનું શું થયું ?
બેરોજગારો માગી રહ્યાં છે જવાબ
5. 10 ટકા EBC દેશભરમાં લાગુ, રાજસ્થાનમાં કેમ નહીં?
6. તમારા નેતા પાકિસ્તાનની ભાષા કેમ બોલી રહ્યાં છે?
7. દેશની સુરક્ષા માટે સેનાએ કરેલી એરસ્ટ્રાઇક પર સવાલ કેમ ?