કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને આકરા પ્રહાર કર્યાં છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કહ્યું કે છે કે બેંક મુસીબતમાં છે અને GDP પણ. મોંઘવારી એટલી હદ સુધી ક્યારે વધી નથી, ના કે બેરોજગારી. જનતાનું મનોબળ તુટી રહ્યું અને રોજ સામાજિક ન્યાય કચડાઇ રહ્યો છે. વિકાસ કે વિનાશ?
લક્ષ્મી વિલાસ બેંક પરના સંકટને લઇને રાહુલ ગાંધીએ ટ્વિટરના માધ્યમથી કહ્યું કે જનતાનું મનોબળ તુટી રહ્યું છે અને સામાજિક ન્યાય કચડાઇ રહ્યો છે. વાયનાડ સાંસદે કહ્યું કે બેંક મુસીબતમાં છે અને GDP પણ. મોંઘવારી આટલી વધારે ક્યારેય નહોતી, ન કે બેરોજગારી. જનતાનું મનોબળ તુટી રહ્યું છે.
बैंक मुसीबत में हैं और GDP भी। महँगाई इतनी ज़्यादा कभी नहीं थी, ना ही बेरोज़गारी। जनता का मनोबल टूट रहा और सामाजिक न्याय प्रतिदिन कुचला जा रहा है।
ઉલ્લેખનીય છે કે RBIએ લક્ષ્મી વિલાસ પછી એક વધુ બેંક પર પ્રતિબંધ લગાવી દીધો છે. જો કે આ પ્રતિબંધ મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં મંતા અર્બન કૉ-ઓપરેટિવ બેંક પર લાગ્યો છે. RBIના જણાવ્યાં મુજબ આ બેંકનો કેટલાંક નિર્દેશ આપ્યાં છે, જે 17 નવેમ્બર 2020ના રોજ બેંક બંધ થયા પછી છ મહિના સુધી અસર કરશે.
આ નિર્દેશો અનુસાર આ બેંક RBIની મંજૂરી વગર કોઇ લોન અથવા ઉધાર નહીં આપી શકે અને ન જૂની લોનનું નવીનીકરણ અથવા કોઇ રોકાણ કરી શકે. બેંકમાં નવી રકમ સ્વીકાર કરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. બેંક ના કોઇ ચુકવણી પણ નહીં કરી શકે અને ના ચૂકવણીને લઇને કોઇ સમજૂતિ કરી શકે.