કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યાં. ADC બેંકનાં ચેરમેને કરેલા માનહાનિનાં કેસ મામલે રાહુલ ગાંધી કોર્ટમાં આજે હાજરી આપવા માટે પહોંચ્યાં છે. નોટબંધી મામલે ADC બેંક પર રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી હતી. જેથી બેંકનાં ચેરમેને રાહુલ ગાંધી પર માનહાનિનો દાવો કર્યો છે. ત્યારે ગત મુદતમાં રાહુલ ગાંધી હાજર ન થતા મેટ્રો કોર્ટે સમન્સ જાહેર કર્યુ હતું. જેમાં રાહુલ ગાંધીએ ટિ્વટ કરીને અમિત શાહ પર આક્ષેપ કર્યો હતો.
આથી ADC બેંકના ચેરમેન અજય પટેલે રાહુલ ગાંધી સામે માનહાનિનો દાવો કર્યો હતો. અજય પટેલે 745 કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો કર્યો હતો. આ મામલે મેટ્રો કોર્ટે રાહુલ ગાંધી સામે સમન્સ જાહેર કર્યું હતું.
આમ,આ સમન્સને લઈને રાહુલ ગાંધી આજે અમદાવાદની મેટ્રો કોર્ટમાં હાજર રહેશે. ત્યારે રાહુલ ગાંધીની સુરક્ષાને લઈને પોલીસે મેટ્રો કોર્ટની મુલાકાત લીધી હતી અને મેટ્રો કોર્ટના જજ સાથે સુરક્ષા અંગે ચર્ચા કરી હતી.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલા સામે પણ માનહાનિનો દાવો કરાયો હતો. આ કેસ મેજીસ્ટ્રેટ એસ. કે. ગઢવીની કોર્ટમાં રાહુલ ગાંધીનું નિવેદન લેવાશે. જો કે રાહુલ ગાંધી બપોરે આખરે એરપોર્ટ પર પહોંચી ગયા છે. ત્યાર બાદ તેઓ એરપોર્ટથી એનેક્સી ખાતે કોંગ્રેસનાં નેતાઓ સાથે બેઠક કરશે. ત્યાર બાદ એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા બાદ 3 વાગે મેટ્રો કોર્ટમાં હાજરી આપશે.