સંસદની સદસ્યતા ગુમાવ્યાં બાદ રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટરનાં બાયોમાં Dis’Qualified MP લખ્યું છે.
રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર બાયોમાં કર્યો ફેરફાર
સંસદની સદસ્યતા રદ થયા બાદ કર્યો ફેરફાર
લખ્યું, 'disqualified MP'
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સંસદ સદસ્યતા રદ થયાં બાદ તેમણે પોતાના ટ્વિટરનાં બાયોમાં ફેરફાર કર્યાં છે. હવે તેમણે પોતાના બાયોમાં ડિસ્ક્વોલીફાઈડ MP- મેન્શન કર્યું છે. રાહુલ ગાંધીને તેમનાં 'મોદી અટક' પર કરેલા વિવાદિત નિવેદન બાદ માનહાનિનાં મામલામાં દોષીત જાહેર કરવામાં આવ્યાં હતાં જેના કારણે તેમની પાસેથી તેમની સંસદ સદસ્યતા છીનવાઈ ગઈ હતી. હવે તેમણે પોતાના બાયોમાં જ અયોગ્ય સાંસદ- એવું લખ્યું છે.
એક દિવસિય સત્યાગ્રહ કરશે કોંગ્રેસ
કોંગ્રેસ આ સમગ્ર મામલાને ઘણો ગંભીરતાથી લઈ રહી છે. આજે પાર્ટી એક દિવસિય 'સંકલ્પ સત્યાગ્રહ' કરી રહી છે. પાર્ટીનાં કાર્યકર્તા દેશભરમાં સરકારની વિરોધમાં પ્રદર્શન કરી રહ્યાં છે. માત્ર દિલ્હી જ નહીં પરંતુ આ મુદાને લઈને કોંગ્રેસ તમામ જિલ્લાનાં મુખ્યાલયોમાં એક દિવસનો સત્યાગ્રહ કરવાની છે.
મોદી સરનેમ કેસમાં સંભળાવી સજા
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોદી સરનેમ કેસમાં 2 વર્ષની સજા સંભળાવ્યાં બાદ શુક્રવારે સ્પીકર ઓમ બિરલાએ તેમની સંસદ સદસ્યતા રદ કરી દીધી હતી. સૂરત સેશંસ કોર્ટએ તેમને દોષીત જાહેર કર્યાં હતાં સાથે જ કોર્ટે રાહુલની જેલની સજાને એક મહિના સુધી સસ્પેન્ડ કરેલ છે. તેમની પાસે ઉપરી કોર્ટમાં અપીલ કરવાનો એક વિકલ્પ છે.
માનહાની મામલે જો તંત્ર સુરતની સેશન કોર્ટના નિર્ણયની નકલ લોકસભા સચિવને મોકલે અને ત્યારબાદ લોકસભાના અધ્યક્ષ તેનો સ્વીકાર કરે તો રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ પૂર્ણ થઈ શકે છે. જેના ભાગરૂપે રાહુલ ગાંધીને બે વર્ષની સજા અને છ વર્ષ ચૂંટણી ન લડી શકે એટલે તે હવે આઠ વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં! હાલ તો રાહુલ ગાંધી પાસે આ પદ જાળવી રાખવા માટે તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે પરંતુ તે રાહતને હાઇકોર્ટમાં પડકારી શકે છે અને સુપ્રીમ કોર્ટ જો તેને તે સ્ટે આપે તો તેને સદસ્યતા બચી શકે તેમ છે.