છત્તીસગઢના પ્રવાસ પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપ અને ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાનો સાધ્યો હતો. શનિવારના સરગુજામાં રેલી દરમિયાન રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ચેલેન્જ આપતા કહ્યુ કે ''નરેન્દ્ર મોદી કોઇ પણ મંચ પર આવીને મારી સાથે 15 મિનિટ સુધી રાફેલ પર ચર્ચા કરે.''
એટલું જ નહી રાહુલે આગળ કહ્યુ કે ''PM મોદી કોઇ પણ પ્રદેશમાં 15 મિનિટ મારી સાથે ઉભા રહી જાય તે 15 મિનિટ મને બોલવા દે અને એટલો જ સમય તે બોલે.''
જણાવી દઇએ કે શુક્રવારે અંબિકાપુરમાં જનસભાને સંબોધિત કરતા PM મોદીએ કોંગ્રેસને ચેલેન્જ આપતા જણાવ્યુ કે ''કોંગ્રેસ વાળા કહી રહ્યા છે કે નેહૂરુના કારણે ચાવાળો પ્રધાનમંત્રી બની ગયો. એક વખત પણ 5 વર્ષ માટે પોતાના પરિવાર સિવાય કોઇ પણ પાર્ટીનો અધ્યક્ષ બનાવીને જુઓ.''
PM મોદીની ચેલેન્જ પર પૂર્વ વિત્ત મંત્રી પી ચિદંબરમે શનિવારે એક ટ્વીટ કરતા 15 નામ ગણાવ્યા જે કોંગ્રેસના અધ્યક્ષ બન્યા અને ગાંધી પરિવારમાંથી ન હતા.
આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ પોતાના મધ્ય પ્રદેશના પ્રવાસના સમય નીકળીને અચાનક છત્તીસગઢના કોરિયા અને બૈકુઠુપુરમાં સભા કરવા માટે પહોંચી ગયા. કોંગ્રેસી ઉમેદવારોની સાથે સભાસ્થળ પહોંચતા ત્યા હાજર તમામ પાર્ટીના કાર્યકર્તા અને સામાન્ય લોકો ચોંકી ગયા.
રાહુલગાંધીએ કોરિયાની જનસભામાં રાજ્યની ભાજપ સરકાર પર હુમલો કરતા કહ્યુ કે ''ગત 15 વર્ષોમાં રાજ્યમાં 2 છત્તીસગઢ બની ગયા એક ગરીબોનું અને એક ધનિક લોકોનું. અમારી સરકાર તેણે ખત્મ કરી દેશે.'' તો બીજી તરફ સરગુજા તેમણે PM મોદીને ચેલેન્જ આપતા કહ્યુ કે ''15 મિનિટ માટે મારી સાથે ઉભા રહીને ભાષણ આપે.''
ભાજપ પર લગાવ્યા ગંભીર આરોપો:
સતત રેલીઓ કરી રહેલા રાહુલ ગાંધીએ ભાજપ પર નિશાનો સાધતા કહ્યુ કે ''જ્યારે છત્તીસગઢ બન્યુ ત્યારે સપનું હતુ કે અહીંયા જળ જંગલ જમીન કોલસા ખનીજને ફાયદો મળશે. પરંતુ 15 વર્ષમાં તમે જોયુ કે રાજ્યમાં 2 છત્તીસગઢ બની ગયા. એક અમીરોનું સૂટ-બૂટ વાળા મોટા-મોટા ઉદ્યોગપતિ તો બીજી તરફ સામાન્ય જનતા જેવી કે મહિલા-યુવાનોનું. અમે બે નહી એક છત્તીસગઢ બનાવશું અમને ન્યાય જોઇએ.''
કોરિયા જિલ્લામાં બૈકંઠપુરમાં આયોજિત સભાને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યુ કે ભાજપને પાકના ખરા ભાવનો વાયદો કર્યો હતો. પરંતુ તમને કેટલો મળ્યો. આ માત્ર છત્તીસગઢની જ નહી પરંતુ દેશની હાલત છે. નરેન્દ્ર મોદી સરકારે ખેડૂતો એક રૂપિયાનું દેવુ માફ કર્યુ નથી.
રાહુલ ગાંધીએ ઉદ્યોગપતિના નામ ગણાવતા PM મોદી પર હુમલો કર્યો . તેમણ રમણ સિંહ પર કટાક્ષ કરતા કહ્યુ કે ''તે દિવસભર ખેડૂતોની વાત કરે છે. પરંતુ ન તો માત્ર તેમણે માત્ર તમારું બોનસ લીધુ પરંતુ દેવું પણ માફ ના કર્યુ અને પાકનો ભાવ પણ ના આપ્યો.''
છત્તીસગઢમાં બીજા ચરણમાં મતદાન 20મીએ:
તમને જણાવી દઇએ કે છત્તીસગઝની 72 વિધાનસભા પર 20 નવેમ્બરના મતદાન થશે. 18 સીટો પર 12મી નવેમ્બરના મતદાન થઇ ચૂક્યુ છે. ત્યારે 90 સીટ પર મતગણતરી 11 ડિસેમ્બરના થશે.