રાહુલ ગાંધીએ વિપક્ષી નેતાઓને એવા સમયે નાસ્તા પર બોલાવ્યા છે જ્યારે પેગાસસ અને અન્ય મુદ્દાઓ પાછળ ઘણા દિવસોથી સંસદના બંને ગૃહોની કામગીરી ઠપ પડી છે.
સંસદનું ચોમાસું સત્ર બની શકે છે વધુ હંગામી
રાહુલ ગાંધી બોલાવી વિપક્ષી નેતાઓની બેઠક
પેગાસસ અને ખેડૂતો મુદ્દે સરકારને ઘેરવાની તૈયારી
19 જુલાઈથી શરૂ થયેલા ચોમાસું સત્રમાં વિપક્ષના વિરોધને લીધે કામગીરીમાં અનેક મુશ્કેલીઓ આવી રહી છે. પેગાસસ જાસૂસીથી માંડીને અન્ય મુદ્દાને ઉઠાવી, વિપક્ષ બંને ગૃહો શરૂ થતાંની સાથે જ હોબાળો મચાવી, પેગાસસ અંગે સરકારની સ્પષ્ટતા માંગી રહી છે.ત્યારે સંસદમાં ચોમાસું સત્રમાં રણનીતિને લઈને ચર્ચા કરવા નાસ્તાના બહાને મંગળવારે દિલ્હીમાં વિપક્ષી દળોની બેઠક કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા બોલાવવામાં આવી છે.
કયા પક્ષને મોકલાયું આમંત્રણ?
સૂત્રોના હવાલેથી મળતી માહિતી મુજબ રાહુલ ગાંધીએ બંધારણ કલબમાં સવારે 9:45 વાગ્યે વિપક્ષી દળોના સાંસદોને નાસ્તા માટે આમંત્રિત કર્યા છે. કારણ કે પેગાસસ મામલે સરકાર ને ઘેરવા અને દબાવ વધારવાની રણનીતિ પર ચર્ચા સંભવ છે. સૂત્રો પ્રમાણે DMK, RJD, શિવસેના, વામપંથી દળો તુણમૂલ કોંગ્રેસ તેમજ અન્ય વિપક્ષી નેતાઓને આમત્રંણ મોકલાયું છે.આ બેઠકમાં બંને ગૃહોના વિપક્ષી દળોના સાંસદ ભાગ લઈ શકે છે.
સંસદ સુધી વિરોધ માર્ચ કાઢશે વિપક્ષ
વિપક્ષી દળોનું કહેવું છે કે પેગાસસ જાસૂસી મુદ્દે પહેલા ચર્ચા કરશે પછી જ વાત આગળ વધારશે. અને તો જ ગૃહમાં ચાલી રહેલી મડાગાંઠનો ઉકેલ આવશે. સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ વિપક્ષની માંગને નકારી કાઢી શુક્રવારે લોકસભામાં કહ્યું હતું કે આ કોઈ મુદ્દો જ નથી, કોંગ્રેસના એક વરિષ્ઠ સાંસદે કહ્યું કે 'વિપક્ષી સાંસદ સરકારનો મુકાબલો કરવા એક સયુક્ત રણનીતિ બનાવશે અને તેને લઈ એક બેઠક પણ કરશે. કારણ કે સરકાર તેમને પેગાસસ જાસૂસી મુદ્દા પર ચર્ચા કરવાનો પણ મોકો આપી રહી નથી? ત્યાં સૂત્રોના હવાલેથી મળતી ખબર મુજબ વિપક્ષી સાંસદો સંસદ સુધી વિરોધ માર્ચ કાઢી શકે છે. પાર્ટીના એક સુત્રએ જણાવ્યા મુજબ 'વિપક્ષી દળોના બધાજ સાંસદોને આ માટેનું આમંત્રણ મોકલી દેવામાં આવ્યું છે. આનાથી તેમને કેન્દ્ર સામે લડી રહેલા બધાજ નેતાઓના સૂચન જાણવા મળશે. આ બેઠક સંસદ ભવન પાસે આવેલા બંધારણ ક્લબમાં થઈ શકે છે.
સંસદમાં વિપક્ષ કેમ કરી રહ્યો છે વિરોધ
સંસદના ચોમાસું સત્ર વચ્ચે વિપક્ષી દળોએ બેઠક બોલાવી છે કારણ કે સરકાર પેગાસસ મુદ્દે ચર્ચા કરવા વિપક્ષની બધી જ માગોને નકારી ચૂકી છે. 19 જુલાઈએ શરૂ થયેલા ચોમાસું સત્રમાં વિપક્ષે પેગાસસ તેમજ ખેડૂતોના મુદ્દે સરકારને ઘેરી છે. લોકસભા અને રાજ્યસભામાં સતત વિરોધ કરી રહેલા સાંસદોની વચ્ચે પણ કેટલાક વિધેયકોને પાસ કરી દેવામાં આવ્યા છે. પણ તેના સિવાય અન્ય કોઈ મહત્વપૂર્ણ કામ કરવામા અસફળ રહી છે. સંસદનું ચોમાસું સત્ર 13 ઓગસ્ટના રોજ પૂર્ણ થશે ત્યારે મંગળવારે મળનારી બેઠક બાદ આગામી દિવસોમાં સંસદમાં વધુ વિરોધ થાય તો નવાઈ નથી