કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનુ સુરક્ષાને લઇને મોટી ચૂક થઇ ગઇ છે. કોંગ્રેસે રાહુલ ગાંધીની સુરક્ષાની વાતને લઇને ગૃહમંત્રી રાજનાથ સિંહને ચિઠ્ઠી લખી હતી, જેમાં કહેવામાં આવ્યુ છે કે, ''કાલે અમેઠીના ઉમેદવારી નોંધાવતા દરમિયાન રાહુલ ગાંધીના ચહેરા પર લેઝર લાઇટ જોવા મળી હતી.''
ચિઠ્ઠીમાં કોંગ્રેસે લખ્યુ કે, રાહુલ ગાંધી SPG પ્રોટેક્ટેડ છે. કાલે રાહુલ ગાંધીના ઉમેદવારી પત્ર ભર્યા પછી જે સમયે મીડિયાની સાથે વાતચીત કરી રહ્યા હતા, તે સમયે તેમના ચહેરા પર એક લીલા રંગની લાઇટ જોવા મળી. રાહુલ ગાંધીના ચહેરા પર આ લાઇટ 7 વખત જોવા મળી.
કોંગ્રેસે રાહુલની દાદી ઇન્દિરા ગાંધી અને પિતા રાજીવ ગાંધીની હત્યાનો ઉલ્લેખ કરતા ગૃહમંત્રીને સુરક્ષાની બેજવાબદારીને લઇને ચિઠ્ઠી લખી હતી. તમને જણાવી દઇએ કે, કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક મોટા રોડ શો દરમિયાન અમેઠીમાં ઉમેદવારી પત્ર ભર્યુ, તે સમયે પ્રિયંકા ગાંધી વાડ્રા અને રોબર્ડ વાડ્રા પણ હાજર હતા.
Congress wrote to Home Minister over breach in security of its president Rahul Gandhi y'day; says Gandhi was addressing media after filing nomination from Amethi, "a persual of his interaction will reflect that a laser was pointed at his head, on at least 7 separate occasions" pic.twitter.com/f3Jmnjhzs5
ગૃહ મંત્રાલયના પ્રવક્તા અનુસાર, તેમને હજુ સુધી કોઉ સત્તાવાર ફરિયાદ મળી નથી, પરંતુ તેમની તરફથી SPG ડિરેક્ટરને આ મામલામાં તપાસ કરવા માટે કહી દેવામાં આવ્યુ છે.
ત્યારે SPGની તરફથી કહેવામાં આવ્યુ છે કે ''તેઓએ વીડિયો ક્લિપ જોઇ, જેમાં એક ગ્રીન લાઇટ રાહુલના ચહેરા પર દેખાઇ હતી, તે કોંગ્રેસના ફોટોગ્રાફરની લાઇટ હતી, આ વાતની જાણકારી રાહુલ ગાંધીના સ્ટાફને આપી દેવામાં આવી છે.''
કોંગ્રેસના પત્રમાં લખવામાં આવ્યુ છે કે પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની હત્યા કરવામાં આવી છે, જે પછી 21 મે 1991માં પેરૂબદૂરમાં પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી તે પણ ચૂંટણીનો સમય હતો. કોંગ્રેસ આ ઘટનાની ફોટો પેન ડ્રાઇવમાં આપ્યા છે. પત્રમાં લખવામાં આવ્યુ કે, ગ્રીન કલરની લેઝર લાઈટથી રાહુલ ગાંધીના માથા પર 7 વખત ટાર્ગેટ કરાયુ હતું, જેમાંથી 2 વખત તેમના કપાળ પર ટાર્ગેટ કરાયુ હતુ.
આ અંગેનો વીડિયો પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો. કોંગ્રેસ આશંકા વ્યક્ત કરી છે કે આ સ્નાઇપરનો નિશાનો લગાવવા માટે પ્રયત્ન કર્યો હશે, આ સાથે આશંકા કરી કે કોંગ્રેસ અધ્યક્ષની સુરક્ષામાં ચૂક છે.
ગૃહમંત્રીને મોકલેલા આ પત્રમાં કહેવામાં આવ્યુ છે કે, આ ઘટનાને ચિંતામાં નાખી દીધા છે, જો રાજીવ ગાંધી અને ઇન્દિરા ગાંધીની હત્યાને યાદ કરવામાં આવે તો આ મોટી ઘટના છે. કોંગ્રેસ નેતા અહમદ પટેલ, જયરામ રમેશ અને રણદીપ સિંહ સુરજેવાલા દ્વારા સહિ કરવામાં આવેલા પત્રમાં સરકારને કહેવામાં આવ્યું છે કે, કોઈ પણ રાજકીય મતભેદ વગર રાહુલ ગાંધીની સુરક્ષા તમારી સરકાર અને તમારા મંત્રાલયની જવાબદારી છે.