શું છે રાહુલની નારાજગી?
લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ થયા બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દેવાની રજૂઆત કરી છે. આ માટે રાહુલે પ્રસ્તાવ CWC સમક્ષ પ્રસ્તાવ પણ રજૂ કર્યો છે. પરંતુ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ આ પ્રસ્તાવનો સ્વિકાર કર્યો નથી. મુશ્કેલીના સમયમાં પાર્ટીને રાહુલની જરૂર હોવાનું તારણ રજૂ કર્યું છે. પરંતુ રાહુલ પણ પોતાના નિર્ણય પર અડગ છે. એટલું જ નહીં પોતાના નિર્ણય પર મક્કમ રહેતા રાહુલે પાર્ટીના દિગ્ગજ નેતાઓ પર કટાક્ષ પણ કર્યો છે.
રાહુલે કહ્યું કે, પાર્ટીના મોટા નેતાઓ પોત-પોતના દિકરાઓને આગળ વધારવામાં લાગ્યા છે. નેતાઓ અને મુખ્યમંત્રીઓ પોત-પોતાના દિકરાઓના રાજકીય કરિયર બનાવવામાં વ્યસ્ત છે. આ જ કારણ પણ છે કે, લોકસભામાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો છે.
રાહુલે દિગ્ગજો સામે આક્રોષ તો ઠાલવ્યો જ. પરંતુ આ સાથે પોતાના રાજીનામાના નિર્ણય પર મક્કમ હોવાનું પણ કહ્યું. આ સાથે જ એવું પણ કહ્યું છે કે, તે પાર્ટીને મજબૂત કરવા માટે હંમેશા કામ કરતા રહેશે. અહીં પ્રિયંકા પણ રાહુલને સાથ આપી રહી છે. પરંતુ પાર્ટીના દિગ્ગજો શું નિર્ણય લે છે. તેના પર સૌકોઈની નજર મંડરાયેલી રહેશે.