નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં રાહુલ ગાંધીને 'Doomsday man of India'કહ્યાં.
રાહુલ ગાંધીને Doomsday man of India જણાવતા નિર્મલા સીતારમણે કહ્યું કે તેઓ ખોટી વાર્તાઓ બનાવે છે જેના કારણે દેશનું અપમાન થાય છે.
નિર્મલા સીતારમણે કહ્યું કે જ્યારે રાહુલ ગાંધી બજેટ પર બોલી રહ્યાં હતા ત્યારે આશા હતી કે તેઓ 10 પોઇન્ટ પર બોલશે પરંતુ તેઓએ કાંઇ પણ કહ્યું નહીં.
નિર્મલા સીતારમણે કહ્યું કે રાહુલ ગાંધીએ બજેટ પર ચર્ચામાં ભાગ કેમ લીધો નહી. મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કોંગ્રેસની લોનમાફીનું વચન કરી કોંગ્રેસ ફરી ગઇ, પરંતુ રાહુલ ગાંધી તેના પર કોઇ ટિપ્પણી કરતા નથી. પંજાબમાં પરાળીથી ખેડૂતોને થઇ રહેલી સમસ્યા પર પણ રાહુલ ગાંધી કેમ કાંઇ બોલતા નથી.
નિર્મલા સીતારમણે કહ્યું કે મને આશા હતી કે રાહુલ ગાંધી પંજાબના કાળા કાયદા પર કંઇક બોલશે જેમાં ખેડૂતોને જેલમાં મોકલવાની જોગવાઇ છે, નિર્મલા સીતારમણે કહ્યુકે મને આશા છે કે રાહુલ ગાંધી પંજાબના મુખ્યમંત્રી સાથે આ કાયદાને રદ્દ કરવાનું કહેશે, પરંતુ તેઓએ આવું કાંઇ ના કર્યું.
સીતારમણે કહ્યું કે મને એમ હતું કે રાહુલ ગાંધી જણાવશે કે ત્રણેય કૃષિ કાયદામાં શું 'ગડબડી' છે, પરંતુ તેવું પણ કાંઇ કર્યું નહીં.
રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરતા નાણામંત્રીએ કહ્યું કે કોંગ્રેસ નેતા હંમેશા પ્રધાનમંત્રીનું અપમાન કરે છે. પછી તે હાલના પ્રધાનમંત્રી હોય કે અગાઉન પ્રધાનમંત્રી. પૂર્વ પીએમ મનમોહન સિંહ જ્યારે વિદેશ ગયા હતા ત્યારે રાહુલ ગાંધી તેમના દ્વારા લાવામાં આવેલા અધ્યાદેશને ફાડીને ફેંકી દીધો હતો.
નિર્મલા સીતારમણે કહ્યું કે મારો અંતિમ મુદ્દો છે કે રાહુલ ગાંધી ફેક નેરેટિવ (મનઘઢંત વાર્તા) બનાવી રહ્યાં છે. મને યાદ છે કે તેઓ કોરોનાકાળ દરમિયાન શું બોલ્યાં હતા.
નાણા મંત્રી સીતારમણે કહ્યું કે જ્યારે પણ સરહદ પર કોઇ તણાવ જોવા મળે છે ત્યારે સરકાર સાથે વાત કરવાના બદલે તેમના દૂતાવાસ સાથે વાત કરે છે. ક્યારેય પણ ભારતના લોકો પર ભરોસો કર્યા વગર બહારના લોકો પર ભરોસો કરે છે, બ્રેકિંગ ઇંડિયા ફોર્સેસની સાથે મળે છે, કાયદાકીય રીતે નિમણૂંક કરાયેલા લોકો માટે ખોટા શબ્દોનો ઉપયોગ કરે છે અને પછી માફી માગી લે છે. મને લાગે છે કે તેઓ ભારતના 'Doomsday Man'બની રહ્યાં છે.