કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટે સમન્સ કાઢ્યુ છે. જેમાં 9 જુલાઈએ રાહુલ ગાંધીને મેટ્રોકોર્ટમાં હાજર રહેવા હુકમ કર્યો છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટે સમન્સ કાઢ્યુ છે. જેમાં 9 જુલાઈએ રાહુલ ગાંધીને મેટ્રોકોર્ટમાં હાજર રહેવા હુકમ કર્યો છે. મળતી માહિતી મુજબ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ માટે વિવાદિત ટિપ્પણી કરવા મામલે હુકમ કરવામાં આવ્યો છે. લોકસભાના સ્પીકર દ્વારા સમન્સની બજવણી કરવાનો કોર્ટે હુકમ કર્યો છે .ત્યારે આ સમગ્ર મામલે વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને હત્યારા કહેવાની વિવાદિત ટિપ્પણી મામલે થયેલા માનહાનિના કેસમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સામે અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટે સમન્સ ઇસ્યૂ કર્યુ છે. લોકસભાના સ્પીકર થકી સમન્સની બજવણીનો હુકમ કરવામાં આવશે. કોર્ટે 9 જુલાઈએ હાજર રહેવા જણાવ્યું છે.
મધ્યપ્રદેશમાં એક રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ અમિત શાહને હત્યા કેસના આરોપી કહ્યું હતું. આથી ખાડિયા વોર્ડના ભાજપના કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે મેટ્રો કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. આ ફરિયાદની સુનાવણી મંગળવારે હાથ ધરાઈ ત્યારે કોર્ટે કેટલીક ક્વેરી કાઢી હતી અને ફરિયાદીના વકીલને કહ્યું હતું કે, આ ફરિયાદ અંગેનું જ્યુરિડિક્શન આ કોર્ટને છે કે નહીં.
આથી ફરિયાદી વકીલે દલીલ કરી હતી કે, કેરળ હાઇકોર્ટનું 1998નું જજમેન્ટ છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે જે જગ્યાએ ભાષણ કરતો હોય અને એ બાબત સમાચાર માધ્યમોમાં પબ્લિશ થાય ત્યારે એ બેમાંથી કોઈ પણ જગ્યાએ ફરિયાદ દાખલ થઈ શકે છે અને આ પ્રસ્થાપિત થયેલો કાયદો છે.