મુંબઇ: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું હતું કે, તેઓ પોતાનો પ્રચાર કરવાનું 5 મિનિટ પણ છોડી શકતા નથી. કોંગ્રેસ અધ્યક્ષે ઉત્તર મહારાષ્ટ્રના ધૂલામાં એક જનસભાને સંબોધન કરતા આ વાત કરી હતી.
રાહુલે કહ્યું કે, અમારા વડાપ્રધાને મીડિયાને કહ્યું કે, ભારત પુલવામા આતંકી હુમલા બાદ સંગઠિત થયા છે પરંતુ તેમણે કોંગ્રેસને આડેહાથ લીધી હતી. તેમણે કહ્યું કે, ભારતના પ્રધાનમંત્રી પોતાનો પ્રચાર કરવાનું 5 મિનિટ પણ છોડી શકતા નથી બસ અમારી અને તેમની વચ્ચે આટલો જ તફાવત છે.
રાહુલે આરોપ લગાવતા કહ્યું કે, મોદીએ આ ગંભીર અવસરનો દુરઉપયોગ કોંગ્રેસને નિશાન બનાવવા માટે કર્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષે વધુમાં જણાવ્યું કે, 'તેમણે (મોદીએ) રાષ્ટ્રીય સમર સ્મારક (નેશનલ વોર મેમોરિયલ) ના ઉદ્ધાટનના અવસર પર આવી જ રીતે પીઆર કરેલ.
તેમણે તાજેતરમાં જ રાષ્ટ્રીય સમર સ્મારકના ઉદ્ધાટન સમારોહ દરમિયાન મોદી દ્વારા કોંગ્રેસ પર કરવામાં આવેલ જોરદાર હુમલાનો ઉલ્લેખ કરતા આ વાત ટાંકી હતી '
ચોકીદારની દેખરેખમાં અનિલ અંબાણીના ખિસ્સામાં ગયા 30 હજાર કરોડ રૂપિયા
રાહુલે રાફેલ લડાકુ વિમાનના સોદા પર પણ અનિલ અંબાણીની મજાક ઉડાવતા કહ્યું હતું કે, આ ઉદ્યોગપતિએ ક્યારેય કાગળનું વિમાન પણ નથી બનાવ્યું.