રાજીવ ગાંધી ફાઉન્ડેશનના ફંડિંગને લઇને એક તરફ ભાજપ ગાંધી પરિવાર પર શાબ્દિક પ્રહાર કરી રહ્યું છે ત્યારે હવે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે.
રાહુલ ગાંધીના પ્રધાનમંત્રી મોદી પર શાબ્દિક પ્રહાર
પીએમ કેયર્સ ફંડમાં આવેલ રકમને લઇને સાધ્યું નિશાન
ચીની કંપનીઓએ ફંડમાં ફાળો આપ્યાનો લગાવ્યો આક્ષેપ
રાહુલ ગાંધીએ પીએમ કેયર્સ ફંડને લઇને આકરા પ્રહાર કર્યા હતા. તેમણે એક ટ્વીટમાં લખ્યું હતું કે, કે પીએમ કેયર્સ ફંડમાં નાણા આપનાર લોકોના નામ જાહેર કરવાથી પ્રધાનમંત્રી મોદી કેમ ડરી રહ્યા છે.
ચીની કંપનીઓએ ફંડમાં ફાળો આપ્યાનો લગાવ્યો આક્ષેપ
આ સાથે જ રાહુલ ગાંધીએ વધુમાં લખ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદી તે લોકોના નામનો ઉલ્લેખ કરતા કેમ ડરી રહ્યા છે. જેમણે કેયર્સ માટે દાન આપ્યું છે. તમામ લોકો જાણે છે કે, ચીની કંપનીઓ Huawei, Xiaomi, TikTok અને OnePlusએ પૈસા આપ્યા છે અને તેઓ જાણકારી આપી રહ્યા નથી.
Why is PM so scared of disclosing the names of those who donated money to him for PMCares?
Everyone knows Chinese companies Huawei, Xiaomi, TikTok and OnePlus gave money.
રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં એક સમાચાર પણ શેર કર્યા છે, જેમાં પીએમ કેયર્સ ફંડની જાહેર ખાતાની સમિતિમાં ચર્ચા નહીં થાય તેવી ચર્ચા છે. કોંગ્રેસે આ માટે ભાજપને જવાબદાર ઠેરવ્યું છે.
ચીનને લઇને પ્રધાનમંત્રી મોદી પર કર્યા આકરા પ્રહાર
કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ ભારત-ચીન સરહદને લઇને સરકારની ફરી આલોચના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદી ખોટી બોલી રહ્યા છે અને દેશને દગો દઇ રહ્યા છે. કોંગ્રેસ સાંસદોની એક બેઠકમાં ગાંધીએ કહ્યું તે તેમની પાર્ટી રાષ્ટ્રીય સુરક્ષા અથવા સીમાઓને નબળી પાડતી કોઈપણ બાબતોનું સમર્થન કરશે નહીં.
પ્રધાનમંત્રી મોદી ચીન વિશે ખોટું બોલતા રહે છે : રાહુલ
કોંગ્રેસ નેતાએ COVID-19 સંકટને નિવારવા માટે સરકાર પર નિશાન સાધતા કહ્યું કે જ્યારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચેપી વાયરસના પ્રસારને નિયંત્રિત કરવા માટે મદદની જરૂર પડે ત્યાર સરકારે મોં ફેરવી લીધું હતું. રાહુલ ગાંધીએ કહ્યું, "પ્રધાનમંત્રી મોદી ચીન વિશે ખોટું બોલતા રહે છે અને કહે છે કે આ રાજકીય મુદ્દો નથી." પરંતુ કોંગ્રેસ એવી પાર્ટીમાં ન હોઈ શકે જે ભારતને નબળું પાડે છે, આપણે અમારું વલણ વળગી રહેવું પડશે. રાષ્ટ્રીય સુરક્ષા અમારી સ્થિતિને સુનિશ્ચિત કરી રહી છે અને સરહદોને નબળી કરી શકાય તેમ નથી. "
રાહુલ વારંવાર પ્રધાનમંત્રી મોદી પર કરી રહ્યા છે પ્રહાર
આપને જણાવી દઇએ કે, રાહુલ ગાંધી દરરોજ એકથી વધુ વખત ટ્વીટ કરતા રહે છે, કારણ કે, ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ગલવાનમાં થયેલ હિંસક અથડામણમાં 20 ભારતીય સૈનિકોય શહીદ થયાં હતા. આ સાથે જ તેમણે પહેલા દાવો કર્યો હતો કે, પ્રધાનમંત્રીએ ભારતીય ક્ષેત્રના ચીની આક્રમણની સામે આત્મસમર્પણ કરી દીધું છે.