દેશમાં કોરોના વાયરસના વધતા ખતરાની વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરી પીએમ નરેન્દ્ર મોદી પર હુમલો બોલ્યો છે. તેઓએ લખ્યું છે કે જ્યારે ભારત કટોકટીનો સામનો કરી રહ્યું છે ત્યારે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને લઇને સમય બર્બાદ કરવાથી બચો. કોરોના વાયરસના પડકારનો સામનો કરવા પર આપણે ભારતીયોએ ધ્યાન આપવું જોઇએ.
કોરોના વાયરસના વધતા ખતરાની વચ્ચે વિપક્ષી નેતાઓના સરકાર પર હુમલા
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરી પીએમ નરેન્દ્ર મોદી પર હુમલો બોલ્યો
દુનિયામાં ઘણા દેશોમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે
તેઓએ સાથે જ એક વીડિયો પણ અપલોડ કર્યો છે જેમા સરકારની જવાબદારી બતાવાઇ છે.
નોંધનીય છે કે ભારતમાં કોરોના વાયરસ (Coronavirus) ના બે નવા કેસ સામે આવ્યા છે. તેમાંથી એક દિલ્હી અને બીજો તેલંગાણાથી સામે આવ્યો છે. બંને કેસમાં કોરોના વાયરસની પુષ્ટી થઇ છે. બંને દર્દીઓને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
Quit wasting India's time playing the clown with your social media accounts, when India is facing an emergency. Focus the attention of every Indian on taking on the Corona virus challenge.
જ્યારે દિલ્હીમાં જે વ્યક્તિમાં કોરોના વાયરસની તપાસ પોઝિટિવ જોવા મળી છે તે હાલમાં જ ઇટલીનો પ્રવાસ કરી આવ્યો હતો. જ્યારે તેલંગાણામાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વાળી વ્યક્તિ દુબઇની યાત્રા કરીને આવી હતી.
દુનિયામાં ઘણા દેશોમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને આજે પ્રેસ કોન્ફરન્સ કરી જાણકારી આપી. ડૉ. હર્ષવર્ધને એક હેલ્પલાઇન નંબર પણ જારી કર્યો છે. 011-23978046. તેમા 10 ડેડિકેટેડ લાઇન્સ છે અને અત્યાર સુધી 6300 કોલ્સ આવ્યા છે. એક મેલ આઇડી પણ જારી કરવામાં આવ્યું છે, [email protected] તેના પર જાણકારી માટે 900 મેલ આવ્યા છે.