કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તમિલનાડુના ત્રણ દિવસના પ્રવાસ પર છે જ્યાં તેમણે મોટો વાયદો કર્યો છે કે જૉ કોંગ્રેસ સત્તામાં આવશે તો GSTમાં ફેરબદલ કરી દેવામાં આવશે.
તમિલનાડુમાં આ વર્ષે થશે વિધાનસભાની ચૂંટણી
ત્રણ દિવસના પ્રવાસ પર તમિલનાડુ પહોંચ્યા રાહુલ ગાંધી
કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહાર
તમિલનાડુમાં આ વર્ષે જ એપ્રિલ-મે મહિનામાં ચૂંટણી થવાની છે ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રાજ્યના પ્રવાસ પર છે જ્યાં મોદી સરકાર પર તાબડતોબ હુમલા કરવામાં આવી રહ્યા છે.
'હું મન કી બાત કરવા નથી આવ્યો'
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તમિલનાડુના પ્રવાસ પર છે અને પ્રવાસના બીજા દિવસે તેઓ ઇરોડ પહોંચ્યા હતા જ્યાં તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું અને રોડ શો કરવામાં આવ્યો. આ રોડ શોમાં રાહુલ ગાંધીએ મોદી સરકાર પર હુમલાઓ કર્યા તેમણે પીએમ મોદી પર ટોણો મારતા કહ્યું કે હું અહિયાં મન કી બાત કરવા નથી આવ્યો પરંતુ તમારી સમસ્યાને સાંભળવા માટે આવ્યો છું.
રાહુલ ગાંધીએ કહ્યું હું અહિયાં મન કી બાત કરવા નથી આવ્યો, હું તમને સાંભળવા આવ્યો છું. તમારી સમસ્યા સાંભળીને તેમાં સમાધાન લાવવા માટે તમારી મદદ કરવા માટે આવ્યો છું.
#WATCH | Congress leader Rahul Gandhi welcomed by party workers and supporters at Perundurai in Erode, Tamil Nadu. pic.twitter.com/CGkOoSxAE4
I have not come here to tell you what to do or tell you my Mann ki Baat, I have come here to listen to you, to understand your problems & try to help resolve them: Congress leader Rahul Gandhi in Erode, Tamil Nadu pic.twitter.com/OZS4H1GYBj
રાહુલ ગાંધીએ કહ્યું કે આપણે ઇતિહાસમાં પહેલીવાર જોઈ રહ્યા છે કે ખેડૂતો ગણતંત્ર દિવસે રેલી કરવા જઈ રહ્યા છે કારણ કે તે દુખી છે. તે વાતને સમજે છે કે તેમની પાસેથી બધુ છીનવી લેવાની તૈયારી કરવામાં આવી છે. રાહુલ ગાંધીએ કૃષિ કાયદાઓને નોટબંધી સાથે સરખાવી અને કહ્યું કે મને આ જોઈને ગર્વ છે કે ખેડૂતો દિલ્હીમાં બેઠા છે અને નરેન્દ્ર મોદીને કાયદા લાગુ કરવાની મંજૂરી આપી રહ્યા નથી. તે ગરીબોની શક્તિને સમજતા નથી અને અમારું કામ ગરીબો, શ્રમિકો અને ખેડૂતોની શક્તિને સમજવાનું છે.
જીએસટી પર મોટું એલાન
રાહુલ ગાંધીએ પીએમ મોદીએ આરોપ લગાવતા કહ્યું કે 'શું તમે ક્યારેય પીએમ મોદીને ચર્ચા કરતાં જોયા? તે પાંચ લોકો સાથે રૂમમાં બેસશે અને મોટા મોટા બિઝનેસમેન સાથે ચર્ચા કરશે. તે ક્યારેય ખેડૂતો, શ્રમિકો, નાના વેપારીઓ સાથે ચર્ચા નથી કરતાં. રાહુલ ગાંધીએ અહિયાં મોટી જાહેરાત કરી હતી કે કોંગ્રેસ સત્તામાં આવશે તો GSTમાં બદલાવ કરવામાં આવશે. રાહુલ ગાંધીએ કહ્યું કે અમે એવું GST કરી દઇશું જેમાં એક જ ટેક્સ હશે જે ખૂબ ઓછું હશે.