સરકાર પર પ્રહાર કરવાની એક તક ન છોડનારા રાહુલ ગાંધીએ ફરી એકવાર સરકાર પર નિશાન સાધ્યું છે. આ વખતે રાહુલ ગાંધીએ કોરોના વાયરસ મામલે ટ્વીટ કરીને મોદી સરકાર પર કટાક્ષ કર્યો છે.
રાહુલ ગાંધીએ કોરોના મુદ્દે ફરી સરકાર પર કર્યો પ્રહાર
20 લાખનો આંકડો પાર, ગાયબ છે મોદી સરકારઃ રાહુલ
રાહુલ ગાંધીએ સરકારને ચેતવી હતી
રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું કે કોરોનાના 20 લાખથી વધુ કેસ નોંધાઈ ગયા છે. ત્યારે મોદી સરકાર ગાયબ થઈ ગઈ છે.. રાહુલ ગાંધીએ આ ટ્વીટ સાથે 17 જુલાઈનું એક ટ્વીટ પણ શેર કર્યું છે.
10 ઓગસ્ટ સુધીમાં 20 લાખ કેસ નોંધાઈ શકે
ઉલ્લેખનીય છે કે, 17 જુલાઈએ દેશમાં 10 લાખ કોરોનાના કેસ નોંધાયા હતા. તે સમયે રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું હતું કે જો આ જ રીતે દેશમાં કોરોનાના કેસ વધ્યા તો 10 ઓગસ્ટ સુધીમાં 20 લાખ કેસ નોંધાઈ શકે છે.
કોરોનાને રોકવા માટે યોગ્ય પગલા લેવાની જરૂર
આ સાથે જ રાહુલે લખ્યું હતું કે સરકારે કોરોનાને રોકવા માટે યોગ્ય પગલા લેવાની જરૂર છે. જોકે 10 ઓગસ્ટ પહેલા જ કોરોનાના 20 લાખ કેસ નોંધાતા હવે રાહુલ ગાંધીએ ફરી એકવાર સરકાર પર નિશાન સાધ્યું છે. અને આ ટ્વીટ થકી યાદ અપાવ્યું છે કે તેમને જે આગાહી કરી હતી તે સાચી પડી છે. અને સરકાર કોરોના સામે પગલા લેવામાં નિષ્ફળ નિવડી છે.
રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં એક સમાચાર પણ શેર કર્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, ચીનના અતિક્રમણની વાત કબૂલનારા દસ્તાવેજને રક્ષા મંત્રાલયની વેબસાઇટથી હટાવી દેવાયા છે. જોકે, રક્ષા મંત્રાલયે ગુરૂવારે પોતાની વેબસાઇટ પર એક ડૉક્યૂમેન્ટ અપલોડ કર્યા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે લદ્દાખના કેટલાક વિસ્તારોમાં ચીની સેનાના અતિક્રમણની ઘટના વધી.
ડૉક્યૂમેન્ટમાં રક્ષા મંત્રાલયે સ્વીકાર કર્યો હતો કે મે મહિનાથી ચીન સતત LAC પર અતિક્રમણ વધતું જઇ રહ્યું છે. જોકે બાદમાં રક્ષા મંત્રાલયે આ દસ્તાવેજોને પોતાની વેબસાઇટથી હટાવી લીધા.