કોરોના વાયરસના કારણે દેશના અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છએ. આ મામલે કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી પ્રધાનમંત્રી મોદીને સતત ઘેરતા રહ્યા છે. ત્યારે શુક્રવારે રાહુલ ગાંધીએ કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં લાગેલ રોક મામલો ઉઠાવ્યો હતો અને કેન્દ્ર સરકારને ઘેરી હતી. રાહુલ ગાંધીએ સરકારના આ નિર્ણયને અમાનવીય અને અસંવેદનશીલ ગણાવ્યો હતો.
કેન્દ્ર સરકાર પર રાહુલના પ્રહાર
કર્મચારીઓના DA પર લાગેલ રોકને ગણાવી અમાનવીય
કોંગ્રેસી સાંસદ રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં લખ્યું કે, લાખો કરોડોની બૂલેટ ટ્રેન પરિયોજના અને કેન્દ્રીય વિસ્ટા સૌંદર્યીકરણ પરિયોજના ને અટકાવવાની જગ્યાએ કોરોનાથી પરેશાન જનતાની સેવા કરતા કેન્દ્રીય કર્મીઓ, પેન્શન ધારકો અને દેશના જવાનોના મોંઘવારી ભથ્થા (DA)કાપીને સરકારે અસંવેદનશીલ તથા અમાનવીય નિર્ણય કર્યો છે. રાહુલ ગાંધીની આ ટ્વીટને પ્રિયંકા ગાંધીએ પણ રીટ્વીટ કરી છે.
સરકારી તીજોરી પર 1.25 લાખ કરોડની બચત
लाखों करोड़ की बुलेट ट्रेन परियोजना और केंद्रीय विस्टा सौंदर्यीकरण परियोजना को निलंबित करने की बजाय कोरोना से जूझ कर जनता की सेवा कर रहे केंद्रीय कर्मचारियों, पेंशन भोगियों और देश के जवानों का महंगाई भत्ता(DA)काटना सरकार का असंवेदनशील तथा अमानवीय निर्णय है।https://t.co/LTGPf53VsA
ખરેખર, કેન્દ્ર સરકારે જાહેર કરેલી કપાતથી સરકારની તિજોરીમાં લગભગ 1.25 લાખ કરોડ રૂપિયાની બચત થશે. કોરોના વાયરસથી સર્જાયેલી કટોકટીની વચ્ચે સરકાર તેને મોટો પગલું ગણાવી રહી છે.
ગતવર્ષે જ કેન્દ્રીય કર્મીઓને આપી હતી ભેટ
આપને જણાવી દઇએ કે, હત માર્ચ મહિનામાં મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને એક ભેટ આપી હતી. સરકારે પોતાના કેન્દ્રીય કર્મચારી અને પેન્શન ધારકોને મોંઘવારી ભથ્થામાં 4 ટકા જેટલો વધારો કર્યો હતો, જો કે, કોરોના સંકટને કારણે આ વધારો હાલ અટકાવવાનો નિર્ણય લીધો છે.
સુરજેવાલાએ પણ સરકાર પર કર્યા પ્રહાર
આપને જણાવી દઈએ કે રાહુલ ગાંધી પહેલા કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પણ આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. સુરજેવાલા દ્વારા કેટલાક ડેટા રજૂ કરવામાં આવ્યા હતા અને કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારીઓના ઘાવ પર મીઠું છાંટવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
આ પહેલા પણ કોંગ્રેસ પાર્ટીએ આ મુદ્દે સરકારને ઘેરતી આવી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, સાંસદ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને ખોટા ખર્ચ રોકવા તેમજ વડા પ્રધાન અને અન્ય મંત્રીઓની વિદેશ યાત્રા બંધ કરવા સૂચન કર્યું હતું.