કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના મુદ્દે મોદી સરકારની ઉગ્ર ટીકા કરી છે.
રાહુલના પીએમ મોદી પર ચાબખા
કેન્દ્ર સરકારની બન્ને હાથે ધોળા દિવસે ઉઘાડી લૂંટ-રાહુલ
વડાપ્રધાનનો એક જ કાયદો, દેશ ફૂંકીને મિત્રોને ફાયદો પહોંચાડવો-રાહુલ
રાહુલે ટ્વિટ કરીને જણાવ્યું કે કેન્દ્ર સરકારની બન્ને હાથે ધોળા દિવસે ઉઘાડી લૂંટ.... નંબર એક, ગેસ-ડીઝલ-પેટ્રોલ પર ભારે ટેક્સ વસૂલી. નંબર બે, મિત્રોને પીએસયુ-પીએસબી વેચીને જનતા પાસેથી તેમની હિસ્સેદારી, રોજગારી અને સુવિધા છીનવી લેવી.
રાહુલના પીએમ મોદી પર ચાબખા કેન્દ્ર સરકારની બન્ને હાથે ધોળા દિવસે ઉઘાડી લૂંટ-રાહુલ વડાપ્રધાનનો એક જ કાયદો, દેશ ફૂંકીને મિત્રોને ફાયદો પહોંચાડવો-રાહુલ રાહુલે ટ્વિટ કરીને જણાવ્યું કે કેન્દ્ર સરકારની બન્ને હાથે ધોળા દિવસે ઉઘાડી લૂંટ.... નંબર એક, ગેસ-ડીઝલ-પેટ્રોલ પર ભારે ટેક્સ વસૂલી. નંબર બે, મિત્રોને પીએસયુ-પીએસબી વેચીને જનતા પાસેથી તેમની હિસ્સેદારી, રોજગારી અને સુવિધા છીનવી લેવી.
केंद्र सरकार की दोनों हाथों से दिनदहाड़े लूट-
1. गैस-डीज़ल-पेट्रोल पर ज़बरदस्त टैक्स वसूली।
2. मित्रों को PSU-PSB बेचकर जनता से हिस्सेदारी, रोज़गार व सुविधाएँ छीनना।
2014 પછી ટેક્સ દ્વારા ભેગા કર્યાં 21 લાખ કરોડ રુપિયા
રાહુલે ટ્વિટ કરીને જણાવ્યું કે વડાપ્રધાનનો એક જ કાયદો, દેશ ફૂંકીને મિત્રોને ફાયદો પહોંચાડવો. બીજી તરફ કોંગ્રેસ પાર્ટીનો દાવો છે કે 2014 માં સત્તા પર આવ્યા બાદ મોદી સરકાર પેટ્રોલ અને ડીઝલના પર ટેક્સ લગાડીને 21 લાખ કરોડ રુપિયા ભેગા કરી લીધા છે. સોશિયલ મીડિયા પર પણ રાહુલના આ નિવેદન પર કેટલાક લોકોએ સહમતિ વ્યક્ત કરી તો બીજા કેટલાક લોકોએ રાહુલને ટ્રોલ પણ કર્યાં.
રાહુલ ગાંધીએ અદાણીની કરી હતી ઘેરાબંધી
બ્લૂમબર્ગના રિપોર્ટને ટાંકતા રાહુલે લખ્યું કે 2020 માં તમારી સંપત્તિમાં કેટલો વધારો થયો, ઝીરો. રાહુલે આગળ લખ્યું કે જ્યારે તમે રોજી-રોટી કમાવવા માટે સંઘર્ષ કરી રહ્યાં હતા ત્યારે તેમણે 12 લાખ કરોડની સંપત્તિ વધારી લીધી. તેમણે તેમની સંપત્તિમાં 50 ટકાનો વધારો કર્યો. રાહુલે કહ્યું કે શું કોઈ મને કહી શકે કે આવું કેમ થયું ?રાહુલ ગાંધી હમેંશા સરકારને ઉદ્યોગપતિની સરકાર કહેતા આવ્યાં છે. સંસદમાં પણ રાહુલ ગાંધીએ અમે બે, અમારા બે નો નારો આપ્યો હતો. રાહુલે કહ્યું હતું કે આ સરકાર ફક્ત ચાર લોકો ચલાવી રહ્યાં છે. તેમના કહેવાનો અર્થ અંબાણી, અદાણી, પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ એવો થતો હતો.
ભારત હવે ઈલેક્ટોરલ ડેમોક્રસી નથી રહ્યું- રાહુલ
ઉલ્લેખનીય છે કે આ પહેલા રાહુલે ટ્વિટમાં લખ્યું હતું કે પાકિસ્તાનની રીતે ભારત પણ ઓટોક્રેટિક છે, અને ભારતની સ્થિતિ તો બાંગ્લાદેશ કરતા પણ ખરાબ છે, આમાં સ્વીડનની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેમોક્રસી રિપોર્ટનો સન્દર્ભ ટાંકવામાં આવ્યો હતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે કેન્દ્રની મોદી સરકારની સામે વધુ એક વાર મોરચો ખોલીને પ્રહારો કર્યા છે, આ વખતે ટ્વીટરમાં એક વિદેશી ઇન્સ્ટિટ્યૂટની રિપોર્ટને ટાંકવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે ભારત હવે ઈલેક્ટોરલ ડેમોક્રસી નથી રહ્યું.