કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત કેન્દ્ર સરકારની નીતિઓની સમીક્ષા કરતા કહ્યા છે. તેઓ વારંવાર જીડીપી, અર્થવ્યવસ્થા અને કોરોના વાયરસને લઈને સરકાર પર નિશાનો સાધતા રહ્યા છે. હવે મંગળવારે એક વાર ફરી તેમણે મોદી સરકાર પર હુમલો કર્યો છે. કોંગ્રેસના નેતાએ કહ્યું કે એલઆઈસી વેચવાનો મોદી સરકારનો વધુ એક શરમજનક પ્રયત્ન છે.
પોતાની બનાવેલી આર્થિક ખોટની ભરપાઈ માટે દેશની સંપત્તિ વેચી રહ્યા છે
એલઆઈસી વેચવાનો મોદી સરકારનો વધુ એક શરમજનક પ્રયત્ન છે
સરકારી કંપનીઓ વેચો અભિયાન ચલાવી રહ્યા છે
मोदी जी ‘सरकारी कंपनी बेचो' मुहीम चला रहे हैं।
खुद की बनायी आर्थिक बेहाली की भरपाई के लिए देश की सम्पत्ति को थोड़ा-थोड़ा करके बेचा जा रहा है।
जनता के भविष्य और भरोसे को ताक पे रखकर LIC को बेचना मोदी सरकार का एक और शर्मनाक प्रयास है। pic.twitter.com/W4OjDJ1nY7
રાહુલ ગાંધીએ ટ્વીટ કરી રહ્યું કે મોદી જી સરકારી કંપનીઓ વેચો અભિયાન ચલાવી રહ્યા છે. પોતાની બનાવેલી આર્થિક ખોટની ભરપાઈ માટે દેશની સંપતિને થોડી થોડી કરીને વેચી રહ્યા છે. જનતાના ભવિષ્ય અને ભરોસાને નેવે મુકી એલઆઈસી વેચવી મોદી સરકારનો વધુ એક શરમજનક પ્રયત્ન છે.’
રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં એક સમાચાર શેર કર્યા છે. જેમાં તેમણે કહ્યું છે કે કેન્દ્ર સરકાર એલઆઈસીમાંથી 25 ટકાની ભાગીદારી વેચશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ, મુંબઈ, લખનૌ સહિતના કેટલાક એરપોર્ટની જવાબદારી મોદી સરકારે અદાણીને સોંપી દીધી છે. એર ઈન્ડિયા વેચવા કાઢી છે. રેલ્વેમાં ખાનગીકરણ માટે તલપાડ છે સરકાર. આ ઉપરાંત અનેક બેંકનોના ખાનગીકરણ અને વિલીની કરણ પર નજર રાખીને બેઠી છે સરકાર. નોંધનીય છે કે રાહુલ ગાંધી અનેક મુદ્દાઓ પર સરકારને સમયે સમયે ઘેરી છે અને નિશાન સાધી ટકોર કરી છે.